બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Today 397 new cases of Corona were reported in the state

કોવિડ અપડેટ / ગુજરાતમાં કોરોના ફરી ફૂલ્યો ફાલ્યો, આજે નવા 397 કેસ, અમદાવાદ અને મહેસાણામાં 1-1 દર્દીનું મોત, જુઓ ક્યાં કેટલા પોઝિટિવ

Dinesh

Last Updated: 07:42 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના કેસમાં સામાન્ય વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, આજે રાજ્યમાં કોરોનાના 397 નવા કેસ નોંધાયા છે જ્યારે એક્ટિવ કેસનો આંક 1992 પર પહોંચ્યો છે.

  • અમદાવાદમાં 139 કેસ નોંધાયા
  • મહેસાણામાં 46, સુરતમાં 41 કેસ નોંધાયા
  • અમદાવાદ અને મહેસાણાના 1-1 દર્દીનું મોત


ગુજરાતમાં કોરોનાનો સામાન્ય વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રોજિંદા કેસ આંકડો 400ની નજીક પહોંચવા થયો છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે તેમજ હોસ્પિટલમાં મોક ડ્રિલનું પણ આયોજન કરાઈ રહ્યું છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 397 પોઝીટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના નવા 397 કેસ નોંઘાયા
આજે રાજ્યમાં કોરોનાના નવા કેસ 397 નોંધાયા છે. એક્ટિવ કેસનો આંક 1992 પર પહોંચ્યો છે તેમજ અમદાવાદ અને મહેસાણાના 1-1 દર્દીનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે, સૌથી વઘુ અમદાવાદમાં 139 કેસ નોંઘાયા છે જ્યારે મહેસાણામાં 46, સુરતમાં 41, વડોદરામાં 38 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 20, મોરબી અને સાબરકાંઠામાં 16-16 કેસ નોંધાયા છે. રાજકોટમાં 13, આણંદ અને ભરૂચમાં 9-9 કેસ નોંધાયા છે. અમરેલીમાં 8, ગાંઘીનગરમાં 7, બનાસકાંઠામાં 6 કેસ નોંધાયા છે. પાટણમાં 5, નવસારી અને ભાવનગરમાં 4-4 કેસ નોંધાયા છે. દાહોદ અને પંચમહાલમાં 3-3, જામનગરમાં 2 કેસ નોંધાયા છે. પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 2-2, ખેડામાં 1 તેમજ ગીરસોમનાથ, કચ્છ અને મહિસાગમાં 1-1 કેસ નોંધાયા છે. 

350 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 397 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા નોંધાયો છે. તેમજ આજે 350 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1992 કોરોનાના એક્ટિવ કેસ છે. 

માર્ચ-અપ્રિલમાં કોરોના 19 લોકોના મોત થયા 
રાજ્યમાં કોરોનાથી માર્ચ અને અપ્રિલ મહિનામાં 19 લોકોના મોત થયા છે. 04 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. 06 એપ્રિલના ગોમતીપુરના 59 વર્ષીય યુવકનું મોત થયું હતું. ત્યારે 08 એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા છે. ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું છે. આજે બે દર્દીના કોરોનાથી મોત થયા છે

કોરોનાથી બચવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.

કોરોના અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે  એડવાઇઝરી 
1. લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન, વૃદ્ધ લોકો માટે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
2. તમામ પ્રકારની હોસ્પિટલોમાં ડોક્ટરો અને દર્દીઓ તેમજ કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી છે.
3. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે બધાએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ.
4. ઉધરસ અથવા છીંક આવે તો તમારા મોઢાને સાફ રૂમાલ અથવા ટિશ્યુ પેપરથી ઢાંકી દો.
5. એડવાઇઝરી અનુસાર તમારા હાથને વારંવાર ધોવા અને સેનિટાઇઝ કરો.
૬. જાહેર સ્થળોએ થૂંકવાનું સંપૂર્ણપણે ટાળો.
7. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ પોતાનો ટેસ્ટ કરાવો.
8. જો તમે ફ્લૂથી પીડિત છો અથવા કોરોનાના કોઈ લક્ષણો છે, તો અન્ય લોકોને મળો નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ