બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 07:42 PM, 12 April 2023
ગુજરાતમાં કોરોનાનો સામાન્ય વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રોજિંદા કેસ આંકડો 400ની નજીક પહોંચવા થયો છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે તેમજ હોસ્પિટલમાં મોક ડ્રિલનું પણ આયોજન કરાઈ રહ્યું છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 397 પોઝીટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત કોરોના અપડેટ | આજે નવા 397 કેસ, એક્ટિવ કેસ 1992, વેન્ટિલેટર પર 04 દર્દી, અમદાવાદમાં સૌથી વધુ 137 લોકો પોઝિટિવ, મહેસાણા અને અમદાવાદમાં 1-1 કુલ 2 દર્દીના મોત#Gujarat #CoronaUpdate #vtvgujarati # pic.twitter.com/9a1VNMqYUV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 12, 2023
રાજ્યમાં કોરોનાના નવા 397 કેસ નોંઘાયા
આજે રાજ્યમાં કોરોનાના નવા કેસ 397 નોંધાયા છે. એક્ટિવ કેસનો આંક 1992 પર પહોંચ્યો છે તેમજ અમદાવાદ અને મહેસાણાના 1-1 દર્દીનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે, સૌથી વઘુ અમદાવાદમાં 139 કેસ નોંઘાયા છે જ્યારે મહેસાણામાં 46, સુરતમાં 41, વડોદરામાં 38 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 20, મોરબી અને સાબરકાંઠામાં 16-16 કેસ નોંધાયા છે. રાજકોટમાં 13, આણંદ અને ભરૂચમાં 9-9 કેસ નોંધાયા છે. અમરેલીમાં 8, ગાંઘીનગરમાં 7, બનાસકાંઠામાં 6 કેસ નોંધાયા છે. પાટણમાં 5, નવસારી અને ભાવનગરમાં 4-4 કેસ નોંધાયા છે. દાહોદ અને પંચમહાલમાં 3-3, જામનગરમાં 2 કેસ નોંધાયા છે. પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 2-2, ખેડામાં 1 તેમજ ગીરસોમનાથ, કચ્છ અને મહિસાગમાં 1-1 કેસ નોંધાયા છે.
350 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 397 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા નોંધાયો છે. તેમજ આજે 350 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1992 કોરોનાના એક્ટિવ કેસ છે.
માર્ચ-અપ્રિલમાં કોરોના 19 લોકોના મોત થયા
રાજ્યમાં કોરોનાથી માર્ચ અને અપ્રિલ મહિનામાં 19 લોકોના મોત થયા છે. 04 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. 06 એપ્રિલના ગોમતીપુરના 59 વર્ષીય યુવકનું મોત થયું હતું. ત્યારે 08 એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા છે. ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું છે. આજે બે દર્દીના કોરોનાથી મોત થયા છે
કોરોનાથી બચવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.
કોરોના અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઇઝરી
1. લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન, વૃદ્ધ લોકો માટે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
2. તમામ પ્રકારની હોસ્પિટલોમાં ડોક્ટરો અને દર્દીઓ તેમજ કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી છે.
3. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે બધાએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ.
4. ઉધરસ અથવા છીંક આવે તો તમારા મોઢાને સાફ રૂમાલ અથવા ટિશ્યુ પેપરથી ઢાંકી દો.
5. એડવાઇઝરી અનુસાર તમારા હાથને વારંવાર ધોવા અને સેનિટાઇઝ કરો.
૬. જાહેર સ્થળોએ થૂંકવાનું સંપૂર્ણપણે ટાળો.
7. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ પોતાનો ટેસ્ટ કરાવો.
8. જો તમે ફ્લૂથી પીડિત છો અથવા કોરોનાના કોઈ લક્ષણો છે, તો અન્ય લોકોને મળો નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army