જ્યોતિષમાં દિવાળીના તહેવાર પર ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે હજારો ઉપાયો જણાવવામાં આવ્યા છે પણ આજે અમે એક સસ્તો અને સરળ ચમત્કારી ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ
દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસના દિવસથી શરૂ થશે
દિવાળીના તહેવાર પર ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરો
દિવાળીના દિવસે આખા ધાણાનો કરો આ ઉપાય
દિવાળીનો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસના દિવસે શરૂ થાય છે અને ભાઈ દૂજના દિવસે સમાપ્ત થાય છે. આ દિવાળીના 5 દિવસોમાં મા લક્ષ્મીને પ્રસન્ન કરવાની અને તેમનો આશીર્વાદ મેળવવાની આ ઉત્તમ તક છે. જ્યોતિષમાં દિવાળીના તહેવાર પર ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે હજારો ઉપાયો જણાવવામાં આવ્યા છે પણ આજે અમે તમને એક એવો જ સસ્તો અને સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ ચમત્કારી સાબિત થાય છે.
શું છે એ ઉપાય
આ ઉપાય 20 રૂપિયાના ધાણાથી કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં દિવાળીના દિવસે આખા ધાણાથી કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ આવે છે. સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે આખા ધાણાનો ઉપયોગ કરાતો હોય છે પણ તેના થોડા ઉપાય કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે. જો કે ધાણાણઆ આ ટોટકા કે ઉપાય કરવાથી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.
દિવાળીના દિવસે આખા ધાણાનો કરો આ ઉપાય
- ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદી કરીને તેને પૂજા ઘરમાં રાખી લો. એ પછી દિવાળીની રાત્રે મા લક્ષ્મીની સામે આખા ધાણા મૂકીને એમની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ બીજા દિવસે સવારે એ ધાણાને એક માટી ભરેલ કુંડામાં ભરી દો. એ પછી જો એ કુંડામાં લીલો છોડ ઊગે છે તો એ છોડ દર્શાવે છે કે તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી થવા જઈ રહી છે. પણ જો એ ધાણાનો છોડ પાતળો અને લીલો હોય તો તે સામાન્ય આર્થિક લાભ વિશે સૂચવે છે અને જો એ છોડ પીળો હોય તો આર્થિક મુશ્કેલીઓ વિશે સૂચવે છે.
- દિવાળીણઆ દિવસ સિવાય પણ આખા ધાણાનો આ ઉપાય કોઈ પણ વ્યક્તિને ધનવાન બનાવી શકે છે. આ ઉપાય માટે કોઈપણ મહિનાના શુક્લ પક્ષના મંગળવારણઆ જ દિવસે માટીના વાસણમાં સૂકા ધાણા, થોડા સિક્કા અને પાણી મિક્સ કરીને તેને ઘરની ઉત્તર દિશામાં રાખી દો. અને જ્યારે ધાણાનો છોડ ઊગવા લાગે ત્યારે એ કુંડામાંથી એક સિક્કો લો અને તેને કબાટ અથવા તિજોરીમાં રાખવો જોઈએ.
- આ સિવાય લાલ રંગના કપડામાં ધાણા બાંધી તેને મંદિરે જઈને હનુમાનજીને અર્પણ કરવા જોઈએ. એ અર્પણ કર્યા પછી મંદીરમાં જ બેસિને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.
- જો તમારી પાસે પૈસા નથી બચતા અને તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગો છો તો દર બુધવારે ગાયને લીલા ધાણા ખવડાવવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.