હાલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે પણ એ પહેલા ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે વિરાટ કોહલી માટે મોટી વાત કહી હતી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજે 22 ડિસેમ્બરે
કિંગ કોહલી માટે કોચે કહી આ મોટી વાત
નેટ પર કરે છે સખત મહેનત
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજે 22 ડિસેમ્બરે રમાઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકા ટેસ્ટ મેચનો આજે પ્રથમ દિવસ છે. કેએલ રાહુલની કપ્તાનીમાં ભારતીય ટીમે ચટગાંવમાં રમાયેલી ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં 188 રનથી જીત મેળવી હતી. ચેતેશ્વર પુજારા અને શુભમન ગીલે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાથે જ કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્પિન બોલિંગ સામે બાંગ્લાદેશી બેટ્સમેનો ચોંકી ગયા હતા. હવે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે પણ એ પહેલા ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે વિરાટ કોહલી માટે મોટી વાત કહી હતી.
કિંગ કોહલી માટે કોચે કહી આ વાત
જણાવી દઈએ કે ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોરે કહ્યું હતું કે, 'અમે દરેકને ખેલાડીને બેટથી યોગદાન આપવા માટે શોધી રહ્યા છીએ. મેચમાં અશ્વિન, કુલદીપ બંને એ સારી બેટિંગ કરી હતી. તે જોઈને ખૂબ સારું લાગ્યું કારણકે એમને ઘણી મહેનત કરી હતી. જો અમારા નેટ સત્રોને જોઈએ તો તેઓ હંમેશા એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સખત મહેનત કરે છે. એટલા માટે એ જોઈને ઘણી ખુશી થાય છે. ' આ સાથે જે રાઠોડે એવી આશા જતાવી હતી કે જાદુઇ બેટ્સમેન વિરાટ કોહલી પણ ટેસ્ટમાં સારો દેખાવ કરશે. જો કે ચટગાંવમાં રમાયેલ સીરિઝની પહેલી મેચમાં તેનો વધુ કમાલ બતાવી શક્યા નહતા. સાથે જ એમને કહ્યું હતું કે ' મારા માટે તે બિલકુલ વિરાટ સમાન છે. તે ખરેખર ખૂબ મહેનત કરે છે અને તેને હંમેશા તેના ક્રિકેટ પર સખત મહેનત કરી છે.
નેટ પર કરે છે સખત મહેનત
આ સાથે જ બેટિંગ કોચ વિક્રમ રાઠોરે કહ્યું હતું કે, 'અમે હજુ સુધી એ જોવાનું ચાલુ રાખીએ છીએ કે હજી પણ તે ખૂબ જ સખત મહેનત કરે છે અને એમના ફિટનેસ સત્રોને ખરેખર ગંભીરતાથી લે છે અને આ માટે તે ઘણા પ્રયત્નો કરે છે. આ સાથે જ ગિલ અને અન્ય તમામ લોકોની મદદ કરે છે. સાથે જ ચેતેશ્વર પૂજારા પણ નેટમાં ખરેખર સખત બેટિંગ કરવામાં મદદ કરે છે.