બહારથી આવીને જો તમે પણ ઘરમાં ગમે ત્યાં જૂતા કે ચંપલ કાઢો છો તો તમારે ધન સંકટનો સામનો કરવો પડી શકે છે. તો જાણો કઈ છે શૂ રેકની યોગ્ય દિશા.
ઘરમાં ભૂલથી પણ આ દિશામાં ન રાખશો શૂ રેક
આવી શકે છે મોટું ધન સંકટ
જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર
વાસ્તુ અનુસાર ઘરની અંદર દરેક વસ્તુની એક નક્કી જગ્યા અને દિશા હોય છે. કેમકે દરેક વસ્તુમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. વાસ્તુ અનુસાર જો તમે ઘરમાં જૂતા કે ચંપલને યોગ્ય દિશામાં નહીં રાખો તો તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને સાથે જ તે તમને મોટા ધન સંકટમાં ફસાવી દે છે.
સફળતામાં બાધારૂપ બને છે ખોટી દિશામાં રખાયેલું શૂ રેક
શક્ય છે કે તમે ઘરમાં ખોટી દિશામાં શૂ રેક રાખો છો તો તમારા અનેક કામ અને સફળતામાં બાધા આવે. આ ભૂલના કારણે તમારે અનેક વાર ધન સંકટનો સામનો પણ કરવો પડી શકે છે. ઘરમાં જૂતા કે ચંપલને ભૂલથી પણ ખોટી જગ્યાએ ન ઉતારો, વાસ્તુના અનુસાર જૂતા કે ચંપલને માટે યોગ્ય સ્થાન નક્કી કરો. વાસ્તુ અનુસાર કેટલીક જગ્યાએ શૂ રેકને ખોટી દિશામાં રાખવાથી નુકસાન આવી શકે છે.
ઉત્તર કે પૂર્વ દિશામાં ભૂલથી પણ ન ઉતારો જૂતા
અનેક વાર તમે બહારથી આવો છો તો તમે ક્યાંક તો ઘરના ઉંબરા પર કે ગમે ત્યાં જૂતા ખોલી દેતા હોવ છો. આ સમયે તમારી નાની ભૂલથી ઘરમાં નકારાત્મક એનર્જી આવે છે. તેને હંમેશા યોગ્ય જગ્યાએ ઉતારો એ જરૂરી છે. જો તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરની સકારાત્મક ઉર્જા પણ નકારાત્મકતામાં બદલાઈ જાય છે. તેનાથી તમારે ધનની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુ શાસ્ત્ર કહે છે કે ક્યારેય ઉત્તર કે પૂર્વ દિશામાં જૂતા ખોલો નહીં. તેને માટે એક નક્કી જગ્યા બનાવી લો જેથી તમારી મુશ્કેલીઓ ઓછી થઈ શકે.
ઘરમાં જૂતા કે તંપલ માટે રાખો આ દિશા
વાસ્તુ શાસ્ત્ર કહે છે કે તમારે તમારા જૂતા કે ચંપલને માટે એક લાકડાનું બંધ સ્ટેન્ડ બનાવવું જોઈએ. આ સ્ટેન્ડને ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવું. જો તમે બહારથી આવો છો અને ઉતાવળમાં જૂતા કાઢો છો તો પણ આ ખાસ વાતનું ધ્યાન રાખવું અને સાથે દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જૂતા ખોલવા. તેનાથી તમારા ઘરની સમૃદ્ધિ અને સાથે જ સકારાત્મકતા પણ જળવાઈ રહેશે.