પંજાબના ચમકૌર સાહિબ નજીક ભાખડા નહેરમાં સેંકડો રેમડેસિવિર અને ચેસ્ટ ઈન્જેક્શનના ઈન્જેક્શન મળી આવ્યા છે.
નહેરમાં સેંકડો રેમડેસિવિર અને ચેસ્ટ ઈન્જેક્શનના ઈન્જેક્શન મળ્યા
પંજાબમાં રેમડેસિવિર અને અન્ય દવાઓની અછત ચાલી રહી
પ્રથમ દ્રષ્ટિએ આ દવાઓ નકલી લાગી રહી
નહેરમાં સેંકડો રેમડેસિવિર અને ચેસ્ટ ઈન્જેક્શનના ઈન્જેક્શન મળ્યા
દેશમાં એક તરફ રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. ત્યારે પંજાબના ચમકૌર સાહિબ નજીક ભાખડા નહેરમાં સેંકડો રેમડેસિવિર અને ચેસ્ટ ઈન્જેક્શનના ઈન્જેક્શન મળી આવ્યા છે. જેમાં સરકારને સપ્લાય કરવામાં આવનારા 1456 ઈન્જેક્શન, 621 રેમેડસિવિરી ઈન્જેક્શન તથા 849 લેબલ વગરના ઈન્જેક્શન પણ સામેલ છે. જો કે ઈન્જેક્શનના અસલી કે નકલી હોવાની પુષ્ટી થઈ શકી નથી.
પંજાબમાં રેમડેસિવિર અને અન્ય દવાઓની અછત ચાલી રહી
એક અખબારના રિપોર્ટ મુજબ રેમેડેસિવિર ઈન્જેક્શન પર એમઆરપી 5400 રુપિયા તથા મૈન્યૂફેક્ટરિંગ ડેટ માર્ચ 2021 અને એક્સપાયરી ડેટ નવેમ્બર 2021 લખ્યુ છે. સેફોપેરાજોન ઈન્જેક્શન પર મેન્યુફેક્ચરિંગ ડેટ એપ્રિલ 2021 તથા એક્સપાયરી ડેટ માર્ચ 2023 અંકિત છે. ચોંકાવનારી વાત એ છે કે આ રસી પર ફોર ગવર્મેન્ટ સપ્લાય નોટ ફોર સેલ પણ લખેલું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં રેમડેસિવિર અને ચેસ્ટ ઈન્જેક્શનના ઈન્જેક્શનોના મોટા પાયા પર કાળા બજારી થઈ રહી છે. પંજાબમાં રેમડેસિવિર અને અન્ય દવાઓની અછત ચાલી રહી છે. તેવામાં સરકારે સપ્લાય થનારા ઈન્જેક્શનોના મોટા પાયા પર કાળાબજારી થઈ રહી છે. પંજાબમાં પણ રેમડેસિવિર અને અન્ય દવાઓની અછત ચાલી રહી છે. તેવમાં સરકારને સપ્લાય થનારા ઈન્જેક્શન ભાખડા નહેરમાં મળવા પર સરકારની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.
પ્રથમ દ્રષ્ટિએ આ દવાઓ નકલી લાગી રહી
એક અખબારમાં પ્રકાશિત સમાચાર મુજબ ડ્રગ કંટ્રોલ ઓફિસર તેજિંદર સિહં કહ્યુ કે પ્રથમ દ્રષ્ટિએ આ દવાઓ નકલી લાગી રહી છે. શીશીયો પર જે લેબલ લગાવવામાં આવ્યા છે તે અસલી શીશીઓ સાથે મેળ નથી ખાઈ રહ્યા. હાલમાં જ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે રાજ્ય ઓક્સિજન, ટેંકરો, રસી અને દવાની અછત ઉપરાંત વેન્ટિલેટર ફ્રન્ટ પર પણ ઝઝૂમ્બિ કહ્યુ છે. કેમ કે ભારત સરકાર દ્વારા પ્રાપ્ત 809 વેન્ટીલેટરોમાંથી 108ને સ્થાપિત કરવા માટે કોઈ પણ બીઈએલ એન્જિનિયર નથી. ગત મહિને તે અનેક વાર કેન્દ્રને પત્ર લખી ચૂક્યા છે.