વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શિલોંગમાં રોડ શો કર્યો, સેન્ટ્રલ લાઈબ્રેરીથી શરૂ થઈને આ રોડ શો પોલીસ બજાર સુધી ગયો હતો જ્યાં તેમણે જાહેર સભાને સંબોધી
ચૂંટણીના માહોલ વચ્ચે નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં મોદી લહેર
મેઘાલય ચૂંટણી પહેલા PM મોદીએ શિલોંગમાં રોડ શો કર્યો
વડાપ્રધાન મોદીના આ રોડ શોમાં ભારે ભીડ જોવા મળી
દેશના વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં મોદી લહેર જોવા મળી રહી છે. મેઘાલય વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શિલોંગમાં રોડ શો કર્યો હતો. સેન્ટ્રલ લાઈબ્રેરીથી શરૂ થઈને આ રોડ શો પોલીસ બજાર સુધી ગયો હતો જ્યાં તેમણે જાહેર સભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીના આ રોડ શોમાં ભારે ભીડ જોવા મળી હતી. જ્યાંથી પીએમ મોદીનો કાફલો રવાના થયો ત્યારે બંને તરફ લોકો કતારમાં ઉભા હતા. પીએમ મોદીએ લોકોને લહેરાવ્યા અને તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું.
પીએમ મોદીએ શિલોંગમાં રાજ્યના ત્રણ સ્વાતંત્ર્ય સેનાનીઓ- યુ તિરોટ સિંગ, યુ કિઆંગ નાંગબાહ અને પા તોગન સંગમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી. પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને શિલોંગમાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. શિલોંગમાં મેઘાલય પોલીસની સાથે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓ સાથે રોડ-શોના માર્ગ અને પોલીસ માર્કેટ પોઇન્ટ પર 1,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ આ રોડ શોનો વીડિયો પણ શેર કર્યો હતો. રોડ-શો પછી વડા પ્રધાને એક જાહેર સભાને સંબોધિત કરી જેમાં તેમણે કહ્યું કે, ભારત સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને મેઘાલય તેમાં મજબૂત યોગદાન આપી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી (BJP)નું ચૂંટણી પ્રતીક 'કમળ' રાજ્યમાં ખીલશે કારણ કે તેમની આગેવાની હેઠળની સરકારે હંમેશા લોકોના કલ્યાણને પ્રાથમિકતા આપી છે.
Prime Minister Narendra Modi gets a rousing reception in Shillong, Meghalaya. pic.twitter.com/XTbo0wpO2l
મેઘલય બન્યું મોદીમય
પીએમ મોદીએ કહ્યું કે, ભૂતકાળમાં મેઘાલયમાં રોડ, રેલ અને એર કનેક્ટિવિટીના અભાવે વિકાસમાં અવરોધ ઊભો કર્યો હતો. જોકે છેલ્લા નવ વર્ષો દરમિયાન કેન્દ્રની ભાજપ સરકારે રાજ્ય અને પૂર્વોત્તર ક્ષેત્રમાં સકારાત્મક ફેરફારો કર્યા છે. યુવાનો હોય, મહિલાઓ હોય, ઉદ્યોગપતિ હોય કે સરકારી કર્મચારી હોય, દરેક ઈચ્છે છે કે મેઘાલયમાં ભાજપ સત્તામાં આવે.
केंद्र सरकार ने बीते 9 वर्षों में नॉर्थ-ईस्ट के बजट में बहुत अधिक बढ़ोतरी की है, लेकिन यहां लोग बताते हैं कि यहां ना तो सड़कें बनी, ना स्कूल-कॉलेज और ना ही अस्पताल बने। यहां के युवा बता रहे हैं कि भर्तियों में करप्शन है... भाई-भतीजावाद है।
મેઘાલયને વંશવાદી રાજકારણથી આઝાદીની જરૂર: PM મોદી
વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે. મેઘાલયને વંશવાદી રાજકારણથી મુક્ત કરવાની જરૂર છે. તેમણે કહ્યું, માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ મેઘાલયમાં પણ પરિવાર દ્વારા સંચાલિત પાર્ટીઓએ તેમની તિજોરી ભરવા માટે રાજ્યને એટીએમમાં ફેરવી દીધું છે. લોકોએ તેમને નકારી કાઢ્યા છે. મેઘાલય હવે એવી સરકાર ઈચ્છે છે કે, જે પરિવારને નહીં પરંતુ લોકોને પ્રથમ સ્થાન આપે.
હું આ ઋણ ચોક્કસ ચૂકવીશ: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન લોકો દ્વારા દર્શાવવામાં આવેલા પ્રેમ અને સમર્થનથી તેઓ અભિભૂત થયા છે. તેમણે કહ્યું કે, આ પ્રેમ, તમારો આ આશીર્વાદ… હું તમારું આ ઋણ ચોક્કસ ચૂકવીશ. તમારા પ્રેમ અને આશીર્વાદનું ઋણ હું મેઘાલયનો વિકાસ કરીને,તમારા કલ્યાણના કાર્યોને ઝડપી બનાવીને ચૂકવીશ. તમારા આ પ્રેમને હું વ્યર્થ નહિ જવા દઉં.