બર્મિધમ: કાઉન્ટી ક્રિકેટના મુખ્ય કાર્યકારીએ કહ્યું કે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ સીરિઝ માટે ટિકીટોનું વેંચાણ ઓછું થવાનું કારણ ખોટો કાર્યક્રમ છે.
એઝબેસ્ટન ટેસ્ટના પહેલા બે દિવસ લગભગ 10 000 સીટો ખાલી રહેશે. પહેલી ટેસ્ટ બુધવારે શરૂ થશે જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ ટ્રેંટબ્રિઝમાં શનિવારે જ્યારે પાંચમી ટેસ્ટ મેચ ઓવલમાં શુક્રવારે શરૂ થશે. કાઉન્ટી ઇચ્છે છે કે ટેસ્ટ મેચ ગુરુવારથી શરૂ થાય.
ભારતને પાંચ ટેસ્ટ મેચના થોડાક દિવસ બાદ જ એશિયા કપમાં રમવાનું છે અને એટલા માટે પાંચ મેચોની આ સીરિઝ છ સપ્તાહમાં પૂર્ણ કરી દેવામાં આવી.