શિયાળાની શરૂઆત થાય તેની જાણ ઠંડી પડવાથી નહીં, પરંતુ બજારમાં શિંગોડાં દેખાવાથી થતી હોય છે. કેટલાય એવા લોકો છે, જે શિયાળામાં આવતાં શિંગોડાંની રાહ જોતા હોય છે. ઠંડી શરૂ થાય અને ફ્રૂટની લારીમાં શિંગોડાં દેખાવા લાગે છે. લોકો તેને ખૂબ ઉત્સાહથી ખાય પણ છે પણ શું તમે જાણો છો કે શિંગોડાં ગુણોની ખાણ છે. તેના ઘણા ફાયદા છે. તે તમને અનેક રોગોથી બચાવે છે.
શિંગોડાના ફાયદા
શ્વાસની બિમારીમાં થશે ફાયદો
પાઇલ્સની બિમારીમાં મળશે રાહત
અસ્થમાના દર્દી માટે શિંગોડાં
જે લોકો શ્વસનની બીમારીથી પીડાતા હોય, જે વ્યક્તિઓને અસ્થમા હોય તેમના માટે શિંગોડાં ખૂબ ફાયદાકારક છે. નિયમિત શિંગોડાં ખાવાથી શ્વસન સમસ્યાઓથી પણ રાહત મળે છે.
પાઇલ્સમાંથી છુટકારો
શિંગોડાં પાઈલ્સ જેવી મુશ્કેલ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અસરકારક સાબિત થાય છે, કેમ કે તે ફાઇબર, કેલ્શિયમ અને વિટાિમનથી ભરપૂર હોય છે.
સોજા કે દુખાવામાં રાહત
શિંગોડાં ખાવાથી એડી ફાટવા જેવી તકલીફ પણ મટે છે. આ સિવાય જો શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો કે સોજો આવે તો તેની પેસ્ટ લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.
અઢળક કેલ્શિયમ
શિંગોડાંમાં કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તે ખાવાથી હાડકાં અને દાંત મજબૂત રહે છે. તે આંખો માટે પણ ફાયદાકારક છે.
મહિલાલક્ષી સમસ્યા દૂર કરે છે
ગર્ભાવસ્થા દરમિયાન શિંગોડાં ખાવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે. તે કસુવાવડનું જોખમ પણ ઘટાડે છે. આ સિવાય શિંગોડાં ખાવાથી પણ િપરિયડની સમસ્યા દૂર થઈ શકે છે.
લોહીને લગતી સમસ્યા દૂર થાય છે.
શિંગોડાંનું સેવન કરવાથી લોહીને લગતી સમસ્યા પણ દૂર થાય છે.