ઝારખંડના ખેલમંત્રીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને જીવતે જીવ શ્રદ્ધાંજલી અપાવી જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. પરિણામે તેમણે બીજો વીડિયો અપલોડ કરી માફી પણ માગી છે.
ઝારખંડના રમતમંત્રીએ સંબોધનમાં કર્યો બફાટ
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને જીવતે જીવ શ્રદ્ધાંજલી આપી
બાદમાં સોશિયલ મીડિયા પર બધાની સમક્ષ માંગી માફી
कल भूलवश मैंने पूर्व प्रधानमंत्री डॉ मनमोहन सिंह जी के संबंध में एक संक्षिप्त भाषण में जो कहा है दरअसल यह सोशल मीडिया पर चलाये जा रहे भ्रामक ख़बरों की वजह से हुई है। इस संबंध में मैंने जो भाषण में कहा है उसके लिए मैं दिल से क्षमाप्रार्थी हूँ।उनके शीघ्र स्वस्थ होने की दुआ करता हूँ pic.twitter.com/rfW7quyBVM
ઝારખંડના રમત મંત્રી હફીજુલ હસન અંસારીએ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને જીવતા રહેતાજ તેમને શ્રદ્ધાંજલી આપી દીધી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ સભાને સંબોધિત કરી રહ્યા છે. જેમા તેઓ મનમોહનસિંહને મૃત જેહાર કરી રહ્યા છે.
સંબોધન કરતી વખતે આપી શ્રદ્ધાંજલી
વીડિયોમાં તેઓ મનમોહનસિંહના સન્માનમાં મૌન રહેવાની પણ વાત કરે છે. જોકે એક દિવસ બાદ તેઓ તેમની આ કરતૂત પર માફી માગે છે. જે વખતે તેમણે આ નિવેદન આપ્યું ત્યારે તે સમયે તેમણે઼ ડૉ અબ્દુલ કલામ ચોકનું ઉદ્ઘાટન કર્યું હતું બાદમાં તેમણે લોકોને સંબોધન આપ્યું હતું. જે સંબોધનમાં તેમણે ન કરવાનું કરી નાખ્યું
બધા પાસે 1 મિનીટનું મૌન પળાવ્યું
સંબોધન આપતી વખતે તેમણે નિવેદન આપ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું આજે નિધન થયું છે. સાથેજ તેમણે કહ્યું કે મનમોહન સિંહે દેશના વિકાસમાં 50 ટકા યોગદાન આપ્યું છે. પરંતુ મોદીજી દેશને 50 વર્ષ પાછળ લઈ ગયા છે. મનમોહનસિંહ વીશે તેમણે કહ્યું કે તેઓ આજે આપણી વચ્ચે નથી રહ્યા ઉપરાંત તેમણે સ્થળ પર હાજર લોકો પાસે 1 મિનીટનું મૌન પણ પાળવા કહ્યું હતું.
સોશિયલ મીડિયા પર ખેલમંત્રી થયા ટ્રોલ
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ મંત્રી ઘણા ટ્રોલ થયા હતો. જેથી તેમણે ફરી વીડિયો અપલોડ કરીને લોકો સમક્ષ માફઉી માગી. સાથેજ મનમોહનસિંહ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના પણ તેમણે કરી હતી. જોકે હાલ તેઓ ડેન્ગ્યૂને કારણે દિલ્હીના એઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે ઉપરાંત તેમની તબિયતમાં પણ ઘણો સુધારો છે.