જામજોધપુરમાં અનાજ અનાજનું કૌભાંડ સામે આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
જામજોધપુરમાં સસ્તા અનાજનું કૌભાંડ
અનાજને ફ્લોરમીલ સુધી પહોંચાડવાનું કૌભાંડ
ભાણવડ તરફથી અનાજ લવાયાનું આવ્યું સામે
રાજ્યમાં ફરી એકવાર સસ્તા અનાજની દુકાનો પર ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે, જામજોધપુરમાં અનાજ અનાજનું કૌભાંડ સામે આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વ્રજ ફુડ પ્રોડક્ટ નામના કારખાનામાંથી ચોખાના 301 કટ્ટા કબ્જે કરવામાં આવ્યા છે. તો કોટડાના બાવીશી ગામમાંથી પણ અનાજનો જથ્થો મળી આવ્યો છે. આ અનાજનો જથ્થો ફ્લોરમિલ સુધી પહોંચાડવામાં આવતો હતો. જેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે દરોડા પાડી અનાજનો જથ્થો કબ્જે કરી આગળી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે પુરવઠા તંત્રને જાણ કરી વધુ તપાસ કરવામાં આવી છે.
ભાણવડ તરફથી અનાજ લવાયાનું આવ્યું સામે
જામજોધપુરમાં સસ્તા અનાજનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સસ્તા અનાજનો જથ્થો ફ્લોરમિલ સુધી પહોંચાડવામાં આવી રહ્યું હતું. કોટડા બાવીશી ગામમાં વ્રજ ફૂડ પ્રોડક્ટ નામના કારખાનામાંથી અનાજનો જથ્થો મળી આવતા સ્થાનિક તંત્ર દોડતું થયું છે. 50 કિલો વજનના ચોખાના 301 કટ્ટા કબજે કરવામાં આવ્યા છે. અને સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી પુરવઠા તંત્રને જાણ કરી છે. મળતી માહિતી મુજબ ભાણવડ તરફથી અનાજ લાવવામાં આવ્યું છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે કેટલા સમયથી આ કૌભાંડ ચાલે છે? તેમજ ગરીબ લાભાર્થીઓનું અનાજ કોને કોને પહોંચાડાય છે. અનાજ સગેવગે કરનારાઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક સવાલ છે ?
સરકારી અનાજને આવી રીતે સગેવગે કરાતું હતું
સસ્તા અનાજની દુકાનમાંથી જે રેશનકાર્ડ ધારકો માસીક અનાજ ખરીદતા ન હોય તેવા રેશનકાર્ડ ધારકોના નામે સંચાલકો ખોટા ઓનલાઈન બીલો બનાવી દેતા હતા. જેમાં રેશનકાર્ડ ધારકની જાણ બાહાર જ સમગ્ર માહિતી જેવી કે કાર્ડ ધારકનું નામ, સરનામું, રેશનકાર્ડ નંબર, આધારકાર્ટ નંબર, આગણાની છાપોનો ડેટા, ગેમસ્કેન, સેવડેટા જેવા સર્વર બેઈઝ સોફટવેર બનાવી તેમાં ડેટા કોપી રાખી બાદામાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, અનાજ તેમજ રાશન ખરીદી કરેલ ન હોય તેવા રેશનકાર્ડ ધારકના નામના વેબસાઇટ ઉપર ખોટા બીલો બનાવી સરકારી રાશનને સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ચાલતું હતું જેનો પર્દાફાશ થયો છે.