શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ શાળામાં સતત 14 દિવસ સુધી ગેરહાજર રહેનાર વિદ્યાર્થીનુ નામ કાપવામાં આવશે.
આ ઉપરાંત શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને DEOને સૂચના પણ આપી છે. શિક્ષણ વિભાગના આ પરિપત્ર મુજબ જે વિદ્યાર્થી કારણ વિના સ્કૂલમાં ગેર હાજર રહેશે તે વિદ્યાર્થીનુ સ્કૂલમાંથી નામ કાપી નાખવામાં આવશે.
મહત્વનુ છે કે છેલ્લા ઘણા સમયથી ડમી વિદ્યાર્થીઓની ફરિયાદો આવી રહી હતી. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને શાળામાં સતત 14 દિવસ સુધી ગેરહાજર રહેનાર વિદ્યાર્થીનુ નામ કાપવામાં આવશે.