કૉમેડી કિંગ કપિલ શર્મા અત્યારે ખૂબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં કપિલ 20 હજાર ટ્વિટસની સાથે ટ્રેન્ડ થઇ રહ્યો છે. યુઝર્સનુ કહેવુ છે કે ધ કપિલ શર્મા શો અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યો છે અને આવુ શક્ય છે કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના દર્શકોની એકજૂટતા બાદ.
ધ કપિલ શર્મા શો બંધ કરાયો, શું છે હકીકત?
દર્શકોનો દાવો, શોમાં ફિલ્મ કાશ્મીર ફાઈલ્સનું પ્રમોશન કરવાની ના પાડી
કપિલ શર્માના શો બંધ થવા પાછળનુ સત્ય છે?
શું છે દાવો
શુક્રવારથી અહેવાલો વાયરલ થઇ રહ્યાં છે કે કપિલ શર્મા શો બંધ થયો છે. જેની પાછળની હકીકત શું છે, આવો જાણીએ. દર્શકોનુ કહેવુ છે કે કપિલ શર્માએ તેમના શોમાં ધ કાશ્મીર ફાઈલ્સનું પ્રમોશન કરવાની ના પાડી દીધી. જેના કારણે દર્શકોએ શોનો બૉયકોટ કર્યો હતો. જોતજોતામાં સોની ટીવીના 43 ટકા શેર ગગડી ગયા. જેથી નિર્માતાઓએ કપિલ શર્મા શોને અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
જાણો યુઝર્સે શું કહ્યું
યુઝર્સનું કહેવુ છે કે કપિલનો શો એટલા માટે બંધ થયો છે, કારણકે દર્શકોએ આ શોનો બૉયકોટ કર્યો હતો. એક યુઝર્સે લખ્યું, હું ખૂબ ખુશ છુ કે કપિલ શર્મા શો બંધ થયો. આવા દેશ વિરોધી કાર્યક્રમોને બંધ કરી દેવા જોઈએ. કપિલ શર્મા શોનુ રેટિંગ ઓછુ થયા બાદ શો બંધ થયો છે. મુકેશ ખન્નાજી અને મહેન્દ્ર સિંહ ધોની કપિલ શર્મા શોનો બહિષ્કાર કરી શકે છે તો તમે બધા કેમ બહિષ્કાર ના કરી શકો. સહમત હોય તો YES લખીને સમર્થન કરો.
कपिल शर्मा शो की रेटिंग हुई कम। मुकेश खन्ना जी और महेंद्र सिंह धोनी जी कपिल शर्मा शो का बहिष्कार कर सकते है तो आप सभी लोग क्यों नहीं ,सहमत हो तो YES लिखकर समर्थन करें।
Follow @LakhanSinghT143
કપિલ શર્માએ થોડા દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતુ કે વર્ષ 2022માં પોતાના યુએસ-કેનેડા ટૂર અંગે જાહેરાત કરી મને ખૂબ ખુશી થઇ રહી છે. ટૂંક સમયમાં તમને લોકોને મળવુ પડશે. ત્યારબાદ એવી અટકળો લગાવવામાં આવતી હતી કે ધ કપિલ શર્મા શો થોડા સમય માટે બંધ થઇ શકે છે. શો બંધ થવા પાછળનુ આ જ કારણ છે, શેર ગગડવા કે ટીઆરપી ઉતરી જવી તે કારણ નથી.