ભારતે ઇંગ્લેન્ડની પાંચ મૅચની ટી-20 સિરીઝમાં છેલ્લી મૅચમાં 36 રનથી મ્હાત આપીને ટ્રોફી પોતાના નામ કરી છે.
વિરાટ કોહલીને મળી શકે છે સજા
બટલર અને વિરાટ વચ્ચે થયો વિવાદ
કોહલીને ICC કરી શકે છે બૅન
સીરીઝની પાંચમી અને ફાઇનલ મૅચમાં 225 રનનો મોટો લક્ષ્ય ઇંગ્લેન્ડ સામે રાખ્યો હતો. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવીને માત્ર 188 રન બનાવી શક્યુ હતુ. આ મૅચમાં કોહલી અને બટલર વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી.
બટલર પર ભડક્યો કોહલી
જ્યારે ભુવનેશ્વર કુમારે જોસ બટલરની વિકેટ લીધી હતી. જ્યારે તે આઉટ થઇને પેલેવિયન તરફ જઇ રહ્યો હતો ત્યારે કોહલીએ ઇંગ્લીશમાં કંઇક કહ્યું અને બાદમાં બટલર ફરી પીચ તરફ આવવા લાગ્યો હતો. તેણે ભારતના કેપ્ટનને જવાબ આપ્યો અને મેદાનમાંથી બહાર જતો રહ્યો હતો.
કોહલીએ એમ્પાયરને કંઇક કહ્યું
જ્યારે બટલર પાછો ગયો ત્યારે કપ્તાન કોહલી એમ્પાયરને કંઇક કહેતા દેખાયો હતો. તે સમયે ઇંગ્લિશ બેટ્સમેન ડેવિડ મલાન પણ હાજર હતો. હવે કોહલી અને બટલર વચ્ચે શું વિવાદ થયો તે સામે આવી શક્યો નથી.
કોહલી પર ICC લગાવી શકે બૅન
બટલર અને કોહલીના આ વિવાદ બાદ કોહલી પર કેટલીક મૅચ માટે બેન લાગી શકે છે. વિરાટના ખાતામાં આ સમયે બે ડિમેરિટ પોઇન્ટ છે. આઇસીસી ના ડિમેરિટ પોઇન્ટ મુજબ જો કોઇ ખેલાડી 2 થી લઇને 4 મહિના સુધી ચાર કે તેનાથી વધારે ડિમેરિટ પોઇન્ટ લે છે તો તેને સસપેન્શન પોઇન્ટમાં બદલવામાં આવે છે. બે વન ડે કે બે ટી20 મેચનો વિરાટ પર બેન લાગી શકે છે.