આગામી 20 ડિસેમ્બેર જસદણમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. ચૂંટણીમાં હવે માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે. આજે જસદણ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે.
સાંજે 5 વાગ્યા સુધી જાહેરમાં પ્રચાર કરી શકાશે. આજે સાંજે પાંચ વાગ્યા બાદ જાહેર પ્રચાર બંધ થશે અને ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડી ચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે.
બન્ને પક્ષોના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવા માટે જસદણમાં પહોંચ્યા છે. આજે આજે પ્રચાર કરવાનો અંતિમ દિવસ હોવાના કારણે નેતાઓ શકિતપ્રદર્શન કરશે. ભાજપના સ્ટાર પ્રચારક અને કોંગ્રેસના સ્ટરા પ્રચારકોના ધામા જસદણમાં જોવા મળ્યા છે.
મહત્વનુ છે કે ભાજપ તરફથી કુંવરજી બાવળિયા મેદાને છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ તરફથી અવસર નાકીયા મેદાને છે. હાલમાં ત્રણ રાજ્યમાં કોંગ્રેસ દ્વારા દેશના ત્રણ રાજ્યમાં સરકાર બનાવ્યા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારેઅહેમદ પટેલ નવજોતિસિંઘ સિદ્ધુ સભાને સંબોધન કરી કાર્યકરોના ઉત્સાહમાં વધારો કરશે. જ્યારે ભાજપ તરફથી નરેશ કનોડિયા પ્રચાર કરવાના છે. ભાજપે વિછીંયામાં બાઈક રેલીનું આયોજન કર્યું હતું.