ગુવાહાટી: થોડા દિવસ અગાઉ તેજપુર એરફોર્સ બેઝ સ્ટેશન પરથી ઉડાન ભર્યા બાદ લાપતા થયેલું વાયુ સેનાના સુખોઇ-30 વિમાનની માહિતી મળી આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુખોઇ-30નો કાટમાળ તેજપુરથી લગભગ 60 કિલોમીટરના અંતરે ચીનની સરહદ પાસે ગાઢ જંગલોમાંથી મળી આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અસમથી લાપતા વિમાન માટે ગુરુવારે સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ. ખરાબ વાતાવરણને કારણે સર્ચ ઑપરેશન દરમિયાન મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો.
સર્ચ ઓપરેશન માટે ભારતીય સેનાના ઇલેક્ટ્રો-ઑપ્ટિકલ પેલોડ ધરાવતા સી-130 વિમાન અદ્યતન ઓછા વજનવાળા હેલિકૉપ્ટર (એએલએચ) અને ચેતક હેલિકૉપ્ટર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હવાઇ ક્ષમતા સાથે ભારતીય વાયુ સેનાના દળ ભારતીય સેનાની નવ ટીમો અને રાજ્ય વહીવટીતંત્રની બે ટીમને અલગ અલગ વિસ્તારમાં શોધખોળ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
સુખોઇ-30 મંગળવારે તેજપુરથી 60 કિલોમીટર ઉત્તર દિશાથી લાપતા થયુ હતું. વિમાન રૂટીન ટ્રેનિંગ મિશન પર હતું અને દરરોજની જેમ જ રૂટીન ઉડાન ભરી હતી. તેમાં બે પાયલોટ સવાર હતા.