કોરોનાવાયરસે હાલ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે કોરોનાનું સંકટ ભારત પર આવ્યું છે અને અત્યારસુધી ભારતમાં કોરોનાવાયરસના 110 કેસ નોંધાયા છે અને બે લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે હવે સરકારે લોકોને સાવચેત રહેવાના સંદેશ આપી દીધા છે. આ વચ્ચે મોરારી બાપુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
કોરાનાવાયરસ સામે સાવધાન રેહવા અપીલ કરી
મંડપ ઉતારીને હું તલગાજરડા જતો રહીશઃ મોરારી બાપુ
કથા ઘરે બેસી ટીવીમાં સાંભળો: મોરારી બાપુ
કોરોના વાયરસને ધ્યાનમાં લઈને મોરારી બાપુએ તકેદારીના ભાગરૂપે ખુબ મહત્વનો નિર્ણય લીધો છે. જેથી મોરારી બાપુની કથા 15 દિવસ માટે રાજુલામાં મોકૂફ રહેશે અને જો યોગ્ય રહશે તો 1 એપ્રિલથી ફરી શરુ થશે. જો કે રાજુલામાં આજે કથાનો ત્રીજો દિવસ હતો.
અમરેલીના રાજુલાના વૃંદાવનબાગમાં મોરારી બાપુની કથાનું આયોજન કરાયું હતુ. કથાને સંબોધતા મોરારિ બાપુએ કહ્યું કે મને લાગશે તો કથા બંધ કરી દઈશુ. મંડપ ઉતારીને હું તલગાજરડા જતો રહીશ. કથામાં નહીં આવો તો ચાલશે પણ કોરોના વાયરસ સામે સાવધાન રહેજો. બાપુએ કહ્યું આપણે ડરીને મરવું નથી. મને પણ બધાના તન મનની ચિંતા છે. કેવલ રાષ્ટ્ર નહીં સમગ્ર વિશ્વની ચિંતા છે.
રાજુલામાં કથામાં કહ્યું હતું કે લાગે તો આવતા નહીં
રાજુલામાં મોરારી બાપુની કથાના આયોજનમાં પણ કોરોનાની આડઅસર જોવા મળી છે. આ અગાઉ રાજુલામાં બહારના લોકોને કથામાં ન આવવા અનુરોધ કર્યો હતો. તેની જગ્યાએ કથા ટીવીમાં લાઈવ નિહાળવા અપીલ કરી હતી. મોટી સંખ્યામાં લોકો એકઠાં થાય તો કોરોના વાયરસના ફેલાવાની શક્યતા વધી જાય છે. તેવામાં લોકો ઘરે બેસીને જ કથા સાંભળે તેવું ચિત્રકૂટધામનું માનવું છે.
આ પહેલાં કહ્યું હતું કોરોના ચીનનો માલ છે
આ અગાઉ પણ મોરારી બાપુએ તેમની કથામાં કોરોનાને લઈને મશ્કરી કરતાં કહ્યું હતું કે ચાઈનાનો માલ છે વધુ ટકશે નહિ