બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / The Congress MP demanded to stop the pension of financially strong former MPs
Priyakant
Last Updated: 02:07 PM, 17 March 2023
મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ સુરેશ ઉર્ફે બાલુ ધનોરકરે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે નાણામંત્રી પાસે આર્થિક રીતે મજબૂત એવા પૂર્વ સાંસદોનું પેન્શન રોકવાની માંગ કરી છે. નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં ધનોરકરે કહ્યું કે, લોકસભા અને રાજ્યસભાના કુલ 4,796 ભૂતપૂર્વ સાંસદો પેન્શન લઈ રહ્યા છે. તેમની પેન્શન પાછળ દર વર્ષે 70 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આ સિવાય 300 ભૂતપૂર્વ સાંસદો છે જેનું નિધન થઈ ગયું છે અને તેમના પરિવારજનોને પેન્શન મળી રહ્યું છે.
કોંગ્રેસના સાંસદ સુરેશ ઉર્ફે બાલુ ધનોરકરે પત્રમાં કેટલાક ભૂતપૂર્વ સાંસદોના નામ પણ લખ્યા છે, જેઓ આર્થિક રીતે મજબૂત છે અને છતાં પેન્શન મેળવી રહ્યા છે. જેમાં રાહુલ બજાજ, સંજય દાલમિયા, માયાવતી, સીતારામ યેચુરી, મણિશંકર ઐયર, બોલિવૂડ અભિનેત્રી રેખા અને સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવીનો સમાવેશ થાય છે.
આ સાંસદોનું પેન્શન રોકવા અપીલ
ધનોરકરે આ પત્રમાં લખ્યું છે કે, ઘણા આર્થિક રીતે મજબૂત ભૂતપૂર્વ સાંસદો છે જેમને પેન્શનનો લાભ મળી રહ્યો છે. તેમણે નાણામંત્રીને આવા સાંસદોનું પેન્શન રોકવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આવા ભૂતપૂર્વ સાંસદો જે આવકવેરાના 30% સ્લેબમાં આવે છે તેમને પેન્શનનો લાભ મળવો જોઈએ નહીં. તેમણે કહ્યું, 'મને પૂરી ખાતરી છે કે કોઈપણ દેશભક્ત પૂર્વ સાંસદને આની સામે કોઈ વાંધો નહીં હોય.'
પૂર્વ સાંસદોના પેન્શન પર કેટલો થાય છે ખર્ચ?
વાત જાણે એમ છે કે, લોકસભા અને રાજ્યસભાના સાંસદોના પગાર અને પેન્શન માટે 1954થી કાયદો છે. સમયાંતરે તેમાં સુધારા-વધારા કરવામાં આવે છે. લોકસભાનો એક કાર્યકાળ એટલે કે 5 વર્ષ પૂરો કરવા પર વ્યક્તિ 25 હજાર રૂપિયા પેન્શનનો હકદાર બને છે. તેવી જ રીતે જો રાજ્યસભાનો એક કાર્યકાળ એટલે કે 6 વર્ષ પૂર્ણ થાય તો દર મહિને 27 હજાર રૂપિયાનું પેન્શન મળે છે.
ઉદાહરણ તરીકે, રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે તેથી તેને દર મહિને 27,000 રૂપિયાનું પેન્શન મળે છે. જો કોઈ વ્યક્તિ બે ટર્મ એટલે કે 12 વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહે છે તો તેને દર મહિને 39 હજાર રૂપિયાનું પેન્શન મળે છે. સરકાર દર વર્ષે સાંસદોના પેન્શન પર કેટલો ખર્ચ કરે છે? આનો જવાબ RTIમાંથી સામે આવ્યો છે.
સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ (CPAO) લોકસભા અને રાજ્યસભાના સાંસદોનું પેન્શન કાર્ય સંભાળે છે. એક આરટીઆઈના જવાબમાં સીપીએઓએ જણાવ્યું હતું કે, 2021-22માં લોકસભા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદોના પેન્શન પર 78 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અગાઉ 2020-21માં 99 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
તમે એક દિવસ માટે પણ સાંસદ બનો તો પણ તમે પેન્શનના હકદાર
એવો કોઈ નિયમ નથી કે પેન્શન મેળવવા માટે સાંસદો કે ધારાસભ્યોએ ચોક્કસ સમયગાળા સુધી પદ પર રહેવું પડે. નિયમોમાં કોઈ સમયગાળો ઉલ્લેખિત નથી. તેથી જો કોઈ એક દિવસ માટે પણ સાંસદ અથવા ધારાસભ્ય બને છે, તો તેને આજીવન પેન્શન મળે છે. માત્ર પેન્શન જ નહીં, અન્ય ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
આટલું જ નહીં, જો કોઈ સાંસદ બન્યા પછી ધારાસભ્ય બને છે તો તેને સાંસદનું પેન્શન અને ધારાસભ્યનો પગાર પણ મળશે. અને ધારાસભ્ય પદ છોડ્યા બાદ સાંસદ અને ધારાસભ્ય બંનેનું પેન્શન મળે છે. આ સિવાય ભૂતપૂર્વ સાંસદો તેમના કોઈપણ સાથી સાથે કોઈપણ ટ્રેનમાં સેકન્ડ એસીમાં મફત મુસાફરી કરી શકે છે. જો તે એકલા મુસાફરી કરે છે તો તે ફર્સ્ટ એસીમાં પણ મુસાફરી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army