મહારાષ્ટ્રના અમરાવતિમાં એક ચકચારી કેસ સામે આવ્યો છે. જેમા એક મહિલા અને પુરુષની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવી. સાથેજ બંને જણા એકબીજાને ભેટેલી હાલતમાં મળી આવ્યા હતા.
લોહીના ખાબોચીયામાં મળી મહિલા અને પુરુષની લાશ
બંને જણા પહેલાથી પરિણીત હતા
હત્યા કે આત્મહત્યા વચ્ચે ઘૂંટાતુ રહસ્ય
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીયા એક એક પરિણીત પુરુષ અને મહિલાની લોહીથી લથપથ હાલતમાં લાશ મલી આવી છે. બંને જણા એકબીજાને ભેટીને પડ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ઉઠ્યો છે. સાથેજ લોકો હેરાન થઈ ગયા છે.
બંને વચ્ચે આડાસબંધો
એવી માહિતી સામે આવી છે કે મૃતક મહિલા અને પુરુષ બંને વચ્ચે આડાસંબંધો હતા. આ બંનેએ એકબીજાને છરી મારીને આત્મહત્યા કરી કે પછી તેમની હત્યા કરવામાં આવી છે. તે રહસ્ય હજું પણ અકબંઘ છે.
હત્યા કે આત્મહત્યા વચ્ચે રહસ્ય ઘુટાયું
ઘટનાની માહિતી મળતાજ પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોચી હતી. જ્યા તેમણે ફોરેન્સીક ટીમને બોલાવીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસના કહેવા પ્રમાણે 45 વર્ષીય પુરુષ અને 35 વર્ષીય મહિલા વચ્ચે આડા સંબંધો હતા. જોકે તેમણે આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે. તે માહિતી હજું સામે નથી આવી.
બંનેના મૃતદેહ એકબીજાને ભેટેલા
આપને જણાવી દઈએ કે બંને જણા પરિણીત હતા અને તેમની મૃતદેહ પર એકબીજાને ભેટેલી હાલતમાં મળી આવ્યા. લોકોના કહેવા પ્રમાણે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. બંન્નેની લાશ પાંઢરી ખેત ખલિયાનના એક ઝુપડીમાંથી મળી આવી. પોલીસ હાલ એ વાતની તપાસ કરી રહી છે કે બંનેએ આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે.