ભાજપે આંતરિક સર્વે કરાવી વિધાનસભા ચૂંટણી માટે રૂપાણીનો ચહેરો યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરી હતી
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે કરાવ્યો આંતરિક સર્વે
182માંથી 82 બેઠકો પણ આવવી ભાજપ માટે કપરી હતી: સૂત્ર
ચૂંટણીના દોઢ વર્ષ પહેલા મુખ્યમંત્રીનો ચહેરો બદલવો ભાજપની રણનીતિ
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રૂપાણીના રાજીનામાં પહેલા ભાજપ દ્વારા મોટો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વિજય રૂપાણીના નેતૃત્વમાં વિધાનસભા 2022ની ચૂંટણી લડવી કે કેમ તેનો ઉલ્લેખ હતો. જે સર્વમાં 182માંથી 82 બેઠકો પણ આવવી ભાજપ માટે કપરી હતી. આથી સ્થિતિનો તાગ મેળવી ચૂંટણી પહેલા જ રાજીનામું અપાયું નથી પણ લઈ લેવાયું હોય તેની ચર્ચાઑ થઈ રહી છે. વિજય રૂપાણીના નેતૃત્વ સામે પણ ઘણી વખત સવાલો ઉઠયા હતા અને તેમના શાસન કાળ દરમિયાન દરેક વર્ષે વિજય રૂપાણીના રાજીનામાંની વાત વહેતી થઈ હતી. જો સૂત્રોનું માનીએ તો આંતરિક સર્વેમાં ગામડામાં ભાજપની સ્થિતિ નબળી દેખાઈ રહી હતી, બીજી તરફ AAP આવવાથી પાટીદારોને ઓપ્શન મળ્યો હોવાથી ભાજપને સીધે સીધું નુકસાન થતું દેખાઈ રહ્યું હતું. આથી હાઈકમાંડે ગુજરાતના સીએમ બદલવાનો નિર્ણય કર્યો હોવાનો અંદેશો છે. બેરોજગારીએ પણ વિજય રૂપાણીની ખુરશીને છીનવી હોવાની વાત થઈ રહી છે. સર્વેમાં એ પણ સામે આવ્યું હતું કે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ભાજપ સીએમ તરીકે નવો ચહેરો સામે લાવે અને વિજય રૂપાણીને બાય બાય કહે. આખરે અનેક ચર્ચાઑ વચ્ચે સીએમ રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. હવે નવા સીએમના દાવેદારનો દાવપેચ શરૂ થયો છે.
ચૂંટણીના દોઢ વર્ષ પહેલા મુખ્યમંત્રીનો ચહેરો બદલવો ભાજપની રણનીતિ
એક કારણ એક પણ ચર્ચાઇ રહ્યું છે કે ચૂંટણી દોઢ વર્ષ પહેલા મુખ્યમંત્રીનો ચહેરો બદલવો ભાજપની રણનીતિનો એક ભાગ છે. ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાતમાં ભાજપ એકહથ્થું શાસન કરી રહી છે. જોકે આ સત્તાની સફર ભાજપ માટે કહેવામાં આસાન રહી છે પણ નરેન્દ્ર મોદીના ગયા પછી છેલ્લા વર્ષોમાં ચૂંટણી જીતી સત્તા પર બની રહેવું લોઢાના ચણા સમાન બની રહ્યું છે. કારણ કે પોતાને શિસ્તબદ્ધ પાર્ટીની છાપ હોવા છતાં પણ ભાજપને મોટા આંતરિક વિવાદો અને ઊથલપાથલનો સામનો કરવો પડ્યો છે. ભાજપની સ્ટ્રેટેજી રહી છે કે વિધાનસભા ચુંટણીના દોઢ વર્ષ પહેલા ગુજરાતનો સીએમ બદલી નાખવામાં આવે. ત્યારે આનંદીબેન બાદ વિજય રૂપાણીના કિસ્સામાં પણ એવું જ બન્યું છે.
ભાજપને શું ડર હતો?
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં અચાનક ચકડોળે ચડ્યું હતું. ઘણા લાંબા સમયથી ગુજરાતના રાજકારણમાં રૂપાણી જાય છે તેવી વાતો વહેતી થઈ હતી જે આજે સાચી પડી છે. રૂપાણીના રાજીનામા પાછળ મુખ્ય 5 મુદ્દાઓ કારણભુત રહ્યા. જેમાં ખાસ કરીને સરકાર અને સંગઠન સાથેના મતભેદો પ્રથમ કારણ હોઇ શકે છે. ગુજરાતમાં સત્તા વિરોધીના કારણે જુવાળ ભાજપ વિરુદ્ધ જાય તેમ હતું આથી ભાજપે દર વખતની જેમ આ વખત પણ ચૂંટણીમાં નવો ચહેરો ઉતારી મોટો ખેલ પાડ્યો છે. એવી વાત પણ થઈ રહી છે કે જો વિજય રૂપાણીના નેતૃત્વમાં વિધાનસભા 2022ની ચૂંટણી લડાઈ હોય તો ભાજપમાં હાથમાંથી ગુજરાત સરકી જાત