ATMમાં ખરાબીને કારણે ઘણી વખત એટીએમ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે અથવા તો એટીએમ મશીનમાં કેશ ખતમ થઈ જવાને કારણે પણ ટ્રાન્ઝેક્શન થઈ શકતું નથી. એવામાં તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આવી સમસ્યા થવા પર બેંક એક નિર્ધારિત સમયની અંદર તમારા પૈસા તમારા અકાઉન્ટમાં રિફંડ કરી દેશે.
ભારતીય રિઝર્વ બેંકની એક પબ્લિક અવેરનેસની પહેલ મુજબ, જો તમારું એટીએમ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય અને નિર્ધારિત સમયમાં તમારા ખાતામાં પૈસા રિફંડ ન થાય તો બેંકે તમને વળતર ચૂકવવું પડશે. આરબીઆઈએ તેની વેબસાઇટ પર વારંવાર પૂછાતા પ્રશ્નોમાં એટીએમ સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા છે.
એટીએમ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય તો જાણો આ અગત્યની વાતો