અમદાવાદમાં પંચવટી પાસે સિટીરત્ન બિલ્ડીંગના 7માં માળે આવેલી ટેક્સટાઇલ ઓફિસમાં આગ લાગી હતી. આ આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. તો આ બિલ્ડીંગમાં ફસાયેલા 10 લોકોને કોન્સ્ટેબલે બચાવ્યા છે.
પંચવટી પાસે સિટીરત્ન બિલ્ડીંગમાં આગનો મામલો
બિલ્ડીંગમાં ફસાયેલા 10 લોકોને કોન્સ્ટેબલે બચાવ્યા
આગના પગલે બિલ્ડીંગમાં ફસાયા હતા લોકો
અમદાવાદમાં હોટલ રેડિશન બ્લૂની બાજુની સિટીરત્ન બિલ્ડીંગમાં 7માં માલે કોઇ કારણોસર આગની ઘટના સામે આવી હતી. આગ લાગતા બિલ્ડીંગમાં દોડધામ મચી હતી. લોકો આગ લાગ્યાનું જાણતા જ બિલ્ડીંગ બહાર નિકળવા માટે દોડધામ કરવા લાગ્યા હતા. આખી બિલ્ડીંગમાં કુતૂહલ મચી હતી. તો આ બિલ્ડીંગમાં ફસાયેલા 10 લોકોને વેજલપુરના કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાળાએ બચાવ્યા હતા. કોન્સ્ટેબલે સતર્કતા દાખવી કામગીરી કરી હતી.
આગ લાગતા ફાયરની ગાડીઓની સાથે સાથે ફાયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. હાલ આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી નથી.