પોલીસે જણાવ્યું કે, બન્નેને હોસ્પિટલ લઇ જવાયા જ્યાં તેમની હાલત સ્થિર જણાવાઈ રહી છે. પોલીસે જણાવ્યું કે, બન્ને મજૂરોની ઓળખ બિહારના બેતિયા જિલ્લા નિવાસી શમશાદ અને ફૈઝાન કાસરીના રૂપમાં થઇ છે. આ પહેલી વખત નથી બન્યું જ્યારે કાશ્મીરમાં પ્રવાસી મજૂરને નિશાન બનાવ્યા હોય.
Terrorists fired upon & injured 2 labourers of Bihar at Kharpora Ratnipora in Pulwama. They have been shifted to hospital where their condition is stated to be stable: Jammu and Kashmir Police
આતંકવાદીઓ ખીણમાં સતત બીન કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા પણ આતંકવાદીઓએ અનેક વખત બીન કાશ્મીરીઓને મજૂરોને નિશાન બનાવ્યા છે. આ મહિને પુલવામામાં આતંકવાદીઓએ પશ્ચિમ બંગાળના એક મજૂર પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તુરંત અહીંની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. આ ઘટના બાદ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. ખીણમાં આતંકવાદી મજૂરોની સાથોસાથ કાશ્મીરી પંડિતોને પણ નિશાન બનાવી રહ્યા છે. એપ્રિલ મહિનામાં આતંકવાદીઓએ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો.