જમ્મુ કશ્મીરના પુલવામાંમાં આજે આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા.
જમ્મુ કશ્મીરના પુલવામાંમાં વધુ એક આતંકવાદી હુમલો
આતંકીઓની નવી સ્ટ્રેટેજી
ગ્રેનેડ હુમલામાં ત્રણ સ્થાનિક નાગરિકો ઘાયલ
પુલવામાંમાં વધુ એક આતંકવાદી હુમલો
જમ્મુ કશ્મીરના પુલવામાંમાં વધુ એક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ એક ગ્રેનેડ હુમલો હતો જે મુખ્ય ચોક પર તૈનાત સુરક્ષાદળોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ગ્રેનેડ જો કે રસ્તા પર જઈને ફાટ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ અટકાવી શકાઈ હતી.
ત્રણ સ્થાનિકો ઘાયલ
ગ્રેનેડ હુમલામાં ત્રણ સ્થાનિક નાગરિકો ઘાયલ થયા હતા. તેમણે નજીકની હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરવામાં આવ્યા હતા.
સુરક્ષા દળોએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન
આ ઘટના બન્યા બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓની શોધખોળ માટે ઘેરાબંદી કરવામાં આવી હતી.
આતંકીઓની નવી રણનીતિ
આતંકીઓએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો હૂય તેવું માલૂમ પડી રહ્યું છે. તેઓ હિટ એન્ડ રન સાથે ગ્રેનેડ હુમલા કરવાની ટ્રાય કરી રહ્યા છે જેથી સુરક્ષા દળોને સૌથી વધારે નુકસાન પહોંચાડિ શકાય. એટલું જ નહીં પણ આવી ઘટનાઓમાં ઓવર ગ્રાઉન્ડ વર્કરો અને હાઇબ્રીડ આતંકવાદીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કોઈ મરી જય કે પકડાઈ જય તો આતંકી સંગઠનોનએ મોટું નુકસાન ન થાય.