તાજેતરમાં આવેલી એક માહિતી અનુસાર
એક વ્યકિત વરસાદમાં મોબાઇલ પર કૉલ રિસીવ કર્યો અને તેમાં બ્લાસ્ટ થતાં વ્યકિતનું મોત થઇ ગયુ હતુ. ચોમાસું આવી ગયુ છે ત્યારે તમારા સ્માર્ટફોનને પાણીથી બચાવવો થોડો મુશ્કેલ બની જાય છે એવામાં આજે અમે તમને એવી કેટલીક ટ્રિક્સ જણાવીશું જેની મદદથી તમે ગમે તેવા વરસાદમાં પણ તમારા સ્માર્ટફોનને સુરક્ષિત રાખી શકો છો.
જો તમે વરસાદમાં પલળી ગયા છો તો બને ત્યાં સુધી કૉલ રિસીવ ન કરો અને કોઇને કૉલ પ ન કરશો. આમ કરવાથી બેટરીમાં શોટ સર્કિટ થવાનો ભય રહે છે અને ફોનમાં બ્લાસ્ટ પણ થઇ શકે છે. ફોન ભીનો થયા બાદ તેમાં કોઈ સમસ્યા આવી હોય તો તેને જાતે રિપેર કરવાનો પ્રયાસ ન કરો.
તમારા ફોનને વરસાદથી બચાવવા માટે ખાસ ચેનવાળું પ્લાસ્ટિક પાઉચ ખરીદો. આ પાઉચ 200- 1500 રૂપિયા સુધીની કિંમતમાં માર્કેટમાં સરળતાથી મળી રહી છે. જો પ્લાસ્ટિક પાઉચ માટે ખર્ચો ન કરવો હોય તો પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કવર તરીકે કરી શકો છો.
ચોમાસાના સમયમાં તમે ફોન રિસીવ કરવા માટે બ્લુટૂથ અથવા ઈયરફોનનો ઉપયોગ કરી શકો છો. આજકાલ માર્કેટમાં સરળતાથી વોટરપ્રૂફ બ્લૂટૂથ હેડસેટ મળે છે.
આ તમામ ટ્રિક્સ ફૉલો કર્યા પછી પણ જો તમારા ફોનમાં પાણી જતું રહે તો ચિતાં ના કરશો. ફોન પલળવા પર સૌથી પહેલા ફોનની બેટરી કાઢી નાખો અને સૂકવવા માટે મૂકી દો ત્યારબાદ સુતરાઉ કપડાંથી ફોનને લૂછી દો. ભીના ફોનને તરત જ ઓન ન કરશો. ફોન ત્યા સુધી બંધ રાખો જ્યાં સુધી અંદરનું પાણી સંપૂર્ણ રીતે સુકાઈ ન જાય.
ફોનથી પાણીને સારી રીતે લૂછ્યા બાદ તેને ચોખાના ડબ્બામાં વચ્ચે દબાવીને રાખી દો. 8-9 કલાક ચોખામાં રાખ્યા બાદ તેને કાઢી લો. ફોનને ચોખામાં મુકવાથી તેમાં ભેજ ખતમ થઈ જાય છે.
ઘણા લોકો ફોનને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે આવું ન કરો. ફોનનાં ખૂબ જ નાજૂક અને હલકા પાર્ટ લાગેલા હોય છે જે જરા અમથી આગ કે ગરમીથી ખરાબ થઈ શકે છે. હેર ડ્રાયરની હવા ઘણીવાર આ પાર્ટ્સને વધારે ગરમ કરી દે છે જેના કારણે પરેશાની વધી જાય છે.
ફોનને ક્યારેય તડકામાં ન રાખશો. જો ફોનને ખુલ્લામાં રાખવો હોય તો તેને કોઈ કપડાં વડે ઢાંકી દો જેનાથી તેના પર સીધો તડકો ન આવે. બેટરીને તડકામાં ન રાખો અને ડ્રાયરથી સુકવવાનો પ્રયાસ ન કરો. આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે.
ફોન સુકાયા બાદ ચાલુ કર્યો છે તો તેનો વધારે ઉપયોગ ન કરો. તેને થોડીવાર માટે પડ્યો રાખો. ફોનને ચાર્જિંગ પર ન મૂકો. બની શકે ફોનની બેટરી હજુ ભીની હોય અને કરંટ મળવા પર શોર્ટ સર્કિટ થઈ શકે છે. ઓછામાં ઓછા 2 કલાક બાદ ફોન ચાર્જ કરો. આ બધુ કર્યા બાદ પણ જો ફોન શરૂ ન થાય તો ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર પર જાવ. તેને જાતે ખોલવાનો પ્રયાસ ન કરો. આમ કરવાથી ફોન ખરાબ થઈ શકે છે અને ફોનની વોરંટી પર પણ અસર પડી શકે છે.