ઇંગ્લેન્ડમાં સતત કોરોના વાયરસની રફ્તાર વધી રહી છે અને ટીમના 7 સદસ્યો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે તેમ છતાં BCCIએ ટીમ ઇન્ડીયાની રજાઓ કેન્સલ કરી નથી.
BCCIએ લીધો મહત્વનો નિર્ણય
ઇંગ્લેન્ડના ખેલાડીઓ થયા પોઝીટીવ
સ્ટાફના સદસ્યો પણ કોરોના સંક્રમિત
મહત્વનું છે કે ઇંગ્લેન્ડના 3 ખેલાડી અને 4 સપોર્ટ સ્ટાફના સદસ્યોને કોરોના પોઝીટીવ આવ્યો છે જેના કારણે ECBને પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી મૅચ માટે આખી ટીમ બદલવી પડી છે. બીજી તરફ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ બાયો બબલથી બહાર છે અને ભીડવાળી જગ્યાઓએ પણ જઇ રહ્યાં છે. જેના કારણે તેમને કોરોના થવાનો ખતરો વધી રહ્યો છે.
ભારતીય ખેલાડીઓ 14 જુલાઇના રોજ લંડનમાં એકઠા થશે અને ત્યાંથી તે બે અઠવાડીયા માટે સલેક્ટ કાઉન્ટી ઇલેવન માટે ડરહમ જશે.
બ્રિટનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. એક જ દિવસમાં 27000થી વધુ કેસ આવ્યા છે. BCCIના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી છે પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય આવ્યો નથી. ઇંગ્લેન્ડ ટીમના 3 ખેલાડી અને ચાર સપોર્ટ સ્ટાફ પોઝીટીવ આવ્યા છે. એવામાં પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી સિરીઝની ટીમ બદલાઇ જશે. 8 જુલાઇથી વન ડે સિરીઝ બે દેશ વચ્ચે રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ
પહેલી ટેસ્ટ - ટ્રેન્ટ બ્રિજમાં 4 ઓગસ્ટથી
બીજી ટેસ્ટ - લૉર્ડ્સમાં 12 ઓગસ્ટથી
ત્રીજી ટેસ્ટ- હેડિંગ્લેમાં 25 ઓગસ્ટથી
ચોથી ટેસ્ટ - ધ ઓવરમાં 2 સપ્ટેમ્બરથી
પાંચમી ટેસ્ટ- ઓફ ટ્રેફર્ડમાં 10 સપ્ટેમ્બરથી
બેન સ્ટૉક્સ બિનઅનુભવી ટીમની આગેવાની કરશે
જાહેર કરાયેલી નવી 18 ખેલાડીઓની ટીમમાં પેહલા જાહેર કરેલી સ્ક્વૉડમાંથી એકપણ ખેલાડીને જગ્યા મળી નથી. પાકિસ્તાન સામેની સિરિઝમાં બેન સ્ટૉક્સ આ બિનઅનુભવી ટીમની આગેવાની કરશે. ઈંગ્લેન્ડ ટીમના 3 ખેલાડીઓ અને 4 સ્ટાફ મેમ્બર્સ કોરોના પોઝીટીવ આવતા બાકીના તમામ ખેલાડીઓને આઇસોલેશનમાં મોકલી દીધા છે.