સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ટેટ-2ના ઉમેદવારોએ ગાંધીનગરમાં ધાણા નાંખ્યા છે.
ટેટ-2 પાસ ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા
ધોરણ 6 થી 8માં શિક્ષકોની ભરતીનો છે મુદ્દો
રાજ્યમાં ટેટ-2 પાસ 47 હજાર ઉમેદવાર બેરોજગાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકારનું ટેન્શન વધી શકે છે. રાજ્યમાં 47000 ટેટે-2 પાસ કરેલા ઉમેદવારો બેરોજગાર છે. તેમની ભરતી કરવામાં નથી આવી રહી ત્યારે આ ઉમેદવારો પણ લડી લેવાના મૂડમાં હોવાનું દેખાઈ રહ્યુ છે. ગુજરાતમાં ટેટ-2 પાસ 47000 ઉમેદવારો બેરોજગાર છે. છેલ્લા 5 વર્ષમાં માત્ર એક જ વાર ભરતી આવી હતી. ધોરણ 6થી 8માં શિક્ષક તરીકેની નીમણૂંક માટે આ ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
ભરતી ન કરાતા ઉમેદવારો નારાજ
47000 ઉમેદવારો ટેટ-2 પાસ છે જેમાંથી 30થી 35 ઉમેદવારો ગાંધીનગરમાં રજૂઆત કરશે. ભરતી અંગે શિક્ષણ સચિવને રજૂઆત કરવામાં આવશે. ટેટ-2 પાસ કર્યા પછી ધોરણ 6થી 8માં શિક્ષક તરીકે નીમણૂંક મળતી હોય છે પરંતુ હજુ સુધી કોઈ ભરતી ન કરાતા ઉમેદવારો નારાજ થયા છે.
47 હજાર ઉમેદવારને નોકરી મળી નથી
ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ (ટાટ-2)ની પરીક્ષા લીધા પછી નિયમ પ્રમાણે જાહેર કરાયેલી ખાલી જગ્યાના 60 ટકા બેઠક પર ભરતી કરવાની હોય છે, પણ ટાટ-2ની પરીક્ષા પાસ કરેલા 47 હજાર ઉમેદવારને નોકરી મળી નથી. બીજી બાજુ છેલ્લાં બે વર્ષ ઉપરાંત હાલની સ્થિતિ પ્રમાણે આઠ હજાર ખાલી જગ્યા હોવા છતાં સરકાર ભરતી કરતી ન હોવાથી ટાટ-2માં ઉર્તીણ થનારા 47 હજાર ઉમેદવારો નિરાશામાં સપડાઈ ગયા છે.