કોરોનાના કારણે આ રાજ્યની સરકાર આવી એક્શન મોડમાં, ત્રણ સ્તર પર લગાવ્યુ કડક લોકડાઉન
લોકડાઉનને 28 જૂન સુધી વધારવામાં આવ્યું
તમિલનાડુને જિલ્લાના ત્રણ સ્તરોમાં વહેચવામાં આવ્યા
અમુક જિલ્લામાં અમુક છૂટ પણ આપવામાં આવી
તમિલનાડુ સરકારે મેડિકલ એક્સપર્ટ્સની સલાહ બાદ રાજ્યમાં ફરી એક વખત લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે રવિવારે રાજ્યમાં કોરોને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવેલા લોકડાઉનને 28 જૂન સુધી વધારી દીધુ છે. જોકે આ સમયે અમુક જિલ્લામાં અમુક છૂટ પણ આપવામાં આવી છે. છૂટના આધાર પર તમિલનાડુને જિલ્લાના ત્રણ સ્તરોમાં વહેચવામાં આવ્યા છે. ટિયર-1, ટિયર-2 અને ટિયર-3.
ટિયર-1માં 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે જ્યાં વધારે છૂટ આપવામાં નથી આવી. કારણ કે આ જિલ્લાઓમાં દરરોજ સામે આવેલા પોઝિટીવ કેસોમાં વધારો થયો છે. આ જિલ્લામાં કોયંબટૂર, નાઈઝીરિયા, થિરૂપ્પુર, ઈરોડ, સલેમ, કરૂર, નમક્કલ, તંજાવુર, થિરૂબરૂર, નાગપટ્ટિનમ અને મયિલાદુથુરાઈ શામેલ છે. ટિયર-2માં 23 જિલ્લા પણ શામેલ છે. જેમાં અમુક વધારે છૂટ પણ આપવામાં આવી છે. ટિપર-3માં, જેમાં ચેન્નાઈ, તિરૂવલ્લૂર, કાંચીપુરમ અને ચેંગલપેટ શામેલ છે. કો ટિયર-2ના જિલ્લાઓમાં વધુ છૂટ આપવામાં આવી છે.
બીજી બાજુ તેલંગાણામાં લોકડાઉન હટાવાયું
ચીફ મિનિસ્ટર કે.ચંદ્રશેખર રાવ દ્વારા બોલાવેલી કેબિનેટની બેઠકમાં લોકડાઉન હટાવવાનો નિર્ણય લેવાયો હતો. સીએમઓની ઓફિસ દ્વારા ફેસબુક પર એવું જણાવાયું કે રાજ્ય સરકારે લોકડાઉન સંપૂર્ણપણે હટાવવાનો નિર્ણય કર્યો છે. કોરોના કેસોની સંખ્યા, પોઝિટીવિટીની ટકાવારીમાં મોટો ઘટાડો થયો હોવાનો મેડિકલ ઓથોરિટીના રિપોર્ટની ચકાસણી કર્યા બાદ તથા રાજ્યમાં કોરોના સંપૂર્ણપણે કાબમાં આવ્યો હોવાથી લોકડાઉન હટાવવાનો નિર્ણય લેવાયો છે.
ટેસ્ટ- ટ્રેક- ટ્રીટ અને વેક્સીનેશનને મહત્વ આપવું જોઈએ- કેન્દ્ર
કેન્દ્ર સરકાર દ્વારા ભીડને જોતા તમામ રાજ્યોને ચતવણી આપવામાં આવી કે સાવધાનીપૂર્વક એક્ટિવિટીઝમાં વધારો કરવો જોઈએ. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે ટેસ્ટ- ટ્રેક- ટ્રીટ અને વેક્સીનેશનને મહત્વ આપવું જોઈએ.