વર્લ્ડ કપ ફાઈનલમાં પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડ ટક્કર લેશે
ફાઈનલમાં આ ટીમ સાથે ટક્કર લેશે પાકિસ્તાન?
પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે મોટી દાવેદાર મનાઈ રહી છે. પરંતુ આ દરમ્યાન એક ભવિષ્યવાણી થઇ છે કે હવે આ વર્ષે પાકિસ્તાનની સાથે વર્લ્ડ કપની ફાઈનલમાં કઈ ટીમ ટક્કર લેશે. અત્યારે પાકિસ્તાની ટીમ જેવી ફોર્મમાં છે, તેના પરથી સ્પષ્ટરીતે કહી શકાય કે પાકિસ્તાન ટીમ ફાઈનલ માટે મોટી દાવેદાર છે. ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે એક ભવિષ્યવાણી કરી છે. સ્ટોક્સનું માનવુ છે કે આ વખતે વર્લ્ડ કપ ફાઈનલમાં પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડ ટક્કર લેશે. આશ્ચર્યની વાત એ છે કે સ્ટોક્સે આ ટુર્નામેન્ટને જીતવા માટેની સૌથી મોટી દાવેદાર ભારતને એ માટે પ્રમાણભૂત પણ ના સમજી કે ભારત ફાઈનલ સુધી પહોંચી શકે છે.
ઈંગ્લેન્ડ પણ આક્રમક ફોર્મમાં
પાકિસ્તાન સિવાય ઈંગ્લેન્ડની ટીમ પણ સારા ફોર્મમાં છે. ગ્રુપ 1માં રમી રહેલી આ ટીમ પોતાની પહેલી 2 મેચ જીતી ગઇ છે. ઈંગ્લેન્ડે પ્રથમ મેચમાં ગઈ વખતે ચેમ્પિયન થયેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમને ધૂળ ચટાડી છે. ત્યારબાદ ઈંગ્લેન્ડે બાંગ્લાદેશને હરાવ્યું છે. સેમિ ફાઈનલ મેચમાં ભારતને ઈંગ્લેન્ડ ટક્કર આપી શકે છે. જોકે, વોર્મઅપ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને પરાજય આપ્યો હતો. ભારત પોતાની આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમશે.
ન્યૂઝીલેન્ડ સામે જીતવુ જરૂરી
ભારતીય ટીમે પાકિસ્તાન સામે જીત પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી છે. જેની પાછળનું કારણ એ છે કે જો ભારત આ મેચ પણ હારી જાય છે તો ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ રેસમાંથી બહાર નિકળી જશે. પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 10 વિકેટથી હરાવ્યું. ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારત સામે પ્રથમ વખત જીત મેળવી છે. અગાઉ ટોસ હારીને બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની પ્રારંભિક શરૂઆત સારી રહી નથી. ભારતીય ટીમે પાકિસ્તાનને લગભગ 152 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં 152 રનનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમે 17.5 ઓવરમાં લક્ષ્યને પૂર્ણ કર્યુ.