રાજ્યમાં યોજાતા લોકમેળાઓને કારણે સ્વાઈન ફ્લૂનો કહેર ચારેકોર વકર્યો છે આવું નિવેદન આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વલસાડ ખાતે આપ્યું છે.
કેન્દ્રસરકારની આયુષ્માન ભારત વડાપ્રધાન જન આરોગ્ય યોજનાનું આજથી દેશભરમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વલસાડમાં આરોગ્યમંત્રીએ આ નિવેદન આપ્યું હતું. જોકે સ્વાઈન ફ્લૂના કહેરને પહોંચી વડવા માટે રાજ્યસરકાર આ દિશામાં સતર્ક હોવાનું પણ મંત્રીએ નિવેદન આપ્યું છે.
કેન્દ્ર સરકારની અતિ મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત વડાપ્રધાન જન આરોગ્ય યોજનાનું આજથી દેશભરમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ આયુષ્યમાન ભારત યોજના નો આજથી આરંભ કરવામાં આવ્યો છે.
રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ આયુષ્યમાન ભારત યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાના શુભારંભ માટે વલસાડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વલસાડ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. યોજનાનો શુભારંભ કરાવતા યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી અને આવનાર સમયમાં રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે લોકોની સુખાકારી માટે હંમેશા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.
વધુમાં અત્યારે જે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા રહી છે તેને આરોગ્ય પ્રધાને નિવેદન આપ્યું છે કે રાજ્યમાં યોજાતા લોક મેળાઓને કારણે સ્વાઈન ફલૂના દર્દીઓ વધ્યા છે. જોકે રાજ્ય સરકાર સ્વાઈન ફલૂ અને જાગૃત છે.