સુશીલ મોદીએ કહ્યું કે મનમોહન સિંહના નેતૃત્વમાં યૂપીએ સરકારના સમયે 1 એપ્રિલ 2010થી 30 સપ્ટેમ્બર 2010 સુધી NPR બનાવવાનો નિર્ણય લેવાયો હતો. તેઓએ પ્રશ્નાર્થ રૂપે કહ્યું કે જો કેટલાક પ્રશ્નો જોડવામાં આવે તો શું ખોટું છે, તેમાં તો ભૂલોને દૂર કરી શકાય છે.
કોઈ પણ રાજ્ય CAAને નકારી શકે નહીં
આખા દેશમાં 1થી 30 સપ્ટેમ્બર સુધી NPR
બિહારમાં 15મેથી 28 મે સુધી થશે NPRનું કામ
બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ શનિવારે કહ્યું છે કે રાજ્યમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર એટલે કે NPRનું કામ કાયદા સાથે જોડાયેલું છે. તેને અપડેટ કરવાનું કામ 15 મેથી 28 મે સુધી ચાલશે. સુશીલ કુમાર મોદીએ કહ્યું કે આખા દેશમાં NPRનું કામ 1થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. બિહારમાં તેને 15મેથી 28 મે સુધી કરવામાં આવશે.
મમતા બેનર્જીને આપી ચેતવણી
ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે અધિકારી NPR ને અપનાવવાની ના પાડે છે તો તેમની વિરુદ્ધમાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે. NPR જનગણનાની પહેલાં ચરણમાં ગણતરી થાય છે અને તેનું લિસ્ટ બનાવાશે. આજે NPR અપડેટ કરવામાં આવી રહ્યું છે. કોઈ નવા રજિસ્ટર તૈયાર થઈ રહ્યા નથી. આ જનગણનાનો ભાગ છે. તેમાં કોઈ દસ્તાવેજ કે પ્રમાણપત્ર નથી. NPR લાગૂ કરવો એ રાજ્યની ફરજ છે. NPR બનાવવો એ કાયદાકીય કાર્યવાહી છે. તેને કોઈ રાજ્ય નકારી શકે નહીં. મોદીએ કેરળ અને બંગાળના મુખ્યમંત્રીઓને ચેતવણી આપી છે કે તેમના પ્રદેશમાં NPR અને CAA લાગૂ ન કરીને બતાવે.
યૂપીએ સરકારમાં લેવાયો નિર્ણય
ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે મનમોહનસિંહના નેતૃત્વમાં યૂપીએ સરકારના સમયે જ 1 એપ્રિલ 2010થી 30 સપ્ટેમ્બર 2010 સુધી NPR બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે તેઓએ પ્રશ્નાર્થમાં કહ્યું કે તેમાં ખોટું શું છે. તેમાં અનેક ભૂલોને પણ દૂર કરવામાં આવશે. આ સાથે જ તેઓએ કહ્યું કે દરેક પ્રશ્નોના જવાબ આપવા જરૂરી નથી. નાગરિકતા સંશોધન કાયદાનો હેતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનમાં અલપસંખ્યકોને રાહત આપવાનો છે.
સુશીલ મોદીએ કહ્યું કે પાકિસ્તાનમાં 1947માં 23 ટકા હિંદુઓ હતા અને આજે 3.7 ટકાથી પણ ઓછા છે. જ્યારે બાંગ્લાદેશમાં 22 ટકાથી ઘટીને માત્ર 7.8 ટકા હિંદુઓ છે. આ રીતે અફઘાનિસ્તાનમાં 1992માં ફક્ત 2 લાખ હિંદુ-શીખ હતા, હાલમાં 500 પણ નથી રહ્યા.