સાયલાના કાશીપુરા ગામના 60 વધુ વિધાર્થીઓ અંતરિયાળ રસ્તા પર ચાલીને થાકી જાય છે બાળાઓને રસ્તામાં બીક લાગે છે.આવારા તત્વો બાળાઓને હેરાન કરે છે
સાયલાના કાશીપુરા ગામમાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી
21મી સદીમાં પણ શિક્ષણ માટે સંઘર્ષ
4 કિમી જેટલું ચાલીને પહોંચે છે સ્કૂલ
ST બસના અભાવે વિદ્યાર્થીઓને મુશ્કેલી
ભાર વગરનું ભણતર દીકરી પઢાવો દેશ બચાવો જેવા સ્લોગન ગુજરાતમાં નિર્થક નીવડ્યા છે . કાશીપુરા ગામમાં માત્ર પ્રાથમિક શાળા છે હાઈસ્કૂલ માટે સાયલા જવું પડે છે કાશીપુરાથી સાયલા જવા આવવા માટે કોઈ વાહન વ્યવસ્થા વર્ષોથી નથી. કાશીપુરા ગામની વિધાર્થિનીઓએ સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાને અનેકવાર રજુઆત કરી છે પણ ન તો કોઈ ધ્યાન આપનારું છે. ન તો કોઈને વિદ્યાર્થીઓની આ પીડા દેખાઈ રહી છે.
સરપંચે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
કાશી પુરા ગામના સરપંચે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી અને રાજકીય વ્યકિતઓને પ્રવેશ બંધી કરાવી વાત કહી વહેલી તકે કોઈ વિધાર્થી માટે વાહન વ્યવસ્થા કરવાની ગ્રામજનો એ માંગ કરી છે VTV ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે કાશીપુરા પહોંચ્યું ત્યારે ગ્રામજનોએ તંત્ર સમક્ષ વ્યથા ઠાલવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના કાશીપુરા ગામના 60થી વધુ વિધાર્થીઓ કે જેવો હાઈસ્કૂલના અભ્યાસ માટે સાયલા જાય છે. સાયલા જવા માટે 4 કિમી જેટલું અંતર પગપાળા કાપીને ભણવા જવા મજબૂર બને છે અંતરિયાળ પર વધુ અવરજવર ન હોવાથી સ્કૂલે જતી બાળાઓ સતત ભયનો ઓથાર નીચે ભણવા જાય છે.
VTV ગુજરાતીના સળગતા સવાલો
સાંસદ, ધારાસભ્ય, મંત્રીથી એક બસની પણ વ્યવસ્થા ન થઈ શકી?
સુમસામ રસ્તા પર અપડાઉન કરતી વિદ્યાર્થિનીઓની કેમ તંત્રને નથી ચિંતા?
આઝાદીના આટલા વર્ષો પછી પણ શા માટે ગામ બસની સુવિધાથી છે વંચિત ?
ક્યાં ગયા બેટી બચાવો, બેટી પઢાઓ સૂત્રો?
શું આ રીતે ભણશે ગુજરાત ?
અનેકવાર તંત્રને રજૂઆત છતા કેમ નથી હલતું તંત્રના પેટનું પાણી?
મંત્રીઓને પણ કરી રજૂઆત પણ મળ્યો માત્ર દિલાસો
મજબૂરીને કારણે મોટી સંખ્યામાં વિધાર્થીઓ પગપાળા અપ ડાઉન કરવા મજબુર બન્યા છે વર્ષોથી ગામમાં હાઈસ્કૂલ ન હોવાથી 50 જેટલી બાળાઓ ભય સાથે ભણતર કરી રહી છે. રસ્તામાં આવારા તત્વો વિધાર્થીનીઓએ હેરાન પરેશાન કરે છે આ અંગે સાયલા પોલીસ ને ફરિયાદ પણ કરી છે. તે ઉપરાંત અહીંના સરપંચે સાસંદ અને કેન્દ્રિય મંત્રી મહેન્દ્ર મુંજપરા અને ધારાસભ્ય મંત્રી રાજ્યમંત્રી કિરીટ સિંહ રાણાને પણ રૂબરૂ મળી આપવીતી જણાવી છે. કહે છે કે સાહેબ રોજે રોજ 4 કિલોમીટર ચાલીને થાકી જવાય છે. પણ દીકરીઓની આ વ્યથા સાંભળનારું કોઈ નથી માત્ર આશ્વાસન આપી છટકી જાય છે. કદાચ આ કારણે આ ગામની ઘણી દીકરીઓએ ભણતર પણ મૂકી દીધું છે. ભણશે ગુજરાતની આ પણ એક વરવી વાસ્તવિકતા છે. હવે જોવું રહ્યું કે વર્ષોની રજૂઆતની તપસ્યાનું ફળ આ ગામને કયારે મળે છે. વિદ્યાથીઑની મુશ્કેલીઓ ચુંટણી પહેલા નિવારી દેવાય તેવી ગામ લોકો માંગ કરી રહયા છે.