રાષ્ટ્રપિતા ગાંધીજી માટે 'ગાંધી અંગ્રેજોના દલાલ' જેવા શબ્દો સુરતની વીરનર્મદ યુનિવર્સિટીના એક સેનેટે વાપર્યા છે. ABVPના વોટ્સેપ ગૃપમાં આ અંગેની કોમેન્ટ થતા તે વાઈરલ થઈ છે. બાપૂ માટે નફરત ફેલાવવા સબબ સેનેટના સભ્ય ગૌરાંગ વૈધની ટીકા થઈ રહી છે.
ABVPના સેનેટ સભ્ય ગૌરાંગ વૈધની ગાંધીજી પર ટિપ્પણી
સુરતની વીર નર્મદ યુનિ.ના સેનેટની બાપુ પર ટિપ્પણી
સેનેટ સભ્ય ગૌરાંગ વૈધે ગાંધીજી વિશે નફરત ફેલાવી
2 જી ઓક્ટબરે જ ABVPના વોટ્સેપ ગૃપમાં આ રાષ્ટ્રપિતા ગાંધીજી વિશેની ટીકાત્મક ટીપ્પણીને પગલે વિવાદનો મધપૂડો છેડાયો છે અને ગાંધીજી વિરુધ્ધ ABVPના સેનેટ દ્વારા આવી ટીપ્પણી થઈ છે ત્યારે ખરેખર પ્રજાના પ્રતિનિધિઓ જ જો આવી
ગૌરાંગ વૈધે કરી ટિપ્પણી
ABVPના સેનેટ સભ્ય ગૌરાંગ વૈધની ગાંધીજી પર ટિપ્પણી કરી છે. તેઓ સુરતની વીર નર્મદ યુનિવર્સીટીના સેનેટ પણ છે. તેઓએ ABVPના વોટ્સએપ ગૃપમાં વૈધએ ટિપ્પણી કરી છે. સેનેટ સભ્ય ગૌરાંગ વૈધે ગાંધીજી વિશે નફરત ફેલાવી હતી. તેમજ 2 જી ઓક્ટબરે જ ગૌરાંગ વૈધે આ ટિપ્પણી કરી હતી. વૈધે ગાંધીજીની સરખામણી ડાકુ સાથે કરી હતી. તેમજ તેમણે ગાંધીજીને અંગ્રેજોના દલાલ જેવા શબ્દો વાપર્યા હતાં. ગૌરાંગની આ ટિપ્પણીથી મોટો વિવાદ થયો છે.
ગાંધીજીની સરખામણી કરી ડાકુઓ સાથે
ગૌરાંગ વૈધે ગાંધીજીની સરખામણી ડાકુ સાથે કરી હતી એટલુ જ નહીં પરંતુ વૈધે ગાંધીજી અંગ્રેજોના દલાલ હતા તેવા શબ્દો પણ વાપર્યા હતા જેને પગલે વિવાદનો મધપૂડો છેડાયો હતો. તેની આ ટિપ્પણીને પગલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો.
ગાંધીજી વિરૂધ્ધ નફરતના વાવેતર
ગૌરાંગ વૈધની ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે અને તેની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે કે તેગાંધીજી વિશે નફરત ફેલાવી રહ્યો છે. અંગ્રેજોના દલાલ જેવા શબ્દો વાપરીને તે ગાંધીજી વિરૂધ્ધ ઝેર ઓકી રહ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે.