સુરતમાં તાપી નદીના શુદ્ધીકરણ માટે માત્ર વાતો થાય છે પણ શુદ્ધીકરણ થતુ નથી. ત્યારે હવે સુરતવાસીઓએ જાતે જ નદી શુદ્ધીકરણ કરવાનું બીડુ ઉઠાવ્યું છે. સરકાર પાસેની આશા ઠગારી નીવડતા લોકો જાતે જ તાપી શુદ્ધીકરણ કરશે.
આજે સુરતની તાપી નદીના શુદ્ધીકરણનું અભિયાન શરૂ કર્યું છે. કુરૂક્ષેત્ર સ્મશાન ભૂમિના ટ્રસ્ટીઓ દ્વારા તાપી શુદ્ધિકરણનું બીડુ ઉઠાવવામાં આવ્યું છે. અષાઠ સુદ પાંચમ એટલે કે તાપી જયંતિ સુધી તાપી નદીનું શુદ્ધીકરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાપી શુદ્ધીકરણ માટે સરકાર મોટી ગ્રાન્ટ પણ ફાળવે છે. છેલ્લા કેટલાય સમયથી તાપી શુદ્ધીકરણની વાતો થાય છે પણ ગ્રાઉન્ડ લેવલ પર તાપી શુદ્દીકરણના નક્કર પગલા લેવામાં આવતા નથી.