સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનના તમામ કર્મીઓની બદલી કરી નાખવામાં આવી છે. ટેક્સટાઈલ એસોશિએશનની ફરિયાદો ધ્યાને રાખી તેમજ ભાજપના કાર્યકરોએ હર્ષ સંઘવીને કરેલી રજૂઆતો બાદ 7 લોકોને ખોટી રીતે માર મારવાનો આરોપ મામલે PI કિકાણી સહિત 104 કર્મચારીઓની સામુહિક બદલી કરી દેવામાં આવતા સુરત શહેર પોલીસમાં હડકંપ મચ્યો છે. HCએ પોલીસ કમિશનર અને પોલીસકર્મીઓને આ મુદ્દે થોડા દિવસ અગાઉ જ 4 કર્મીઓને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો હતો. અનેક ફરિયાદો મળતા આ કડક કાર્યવાહી કરવામાં આવી હોય તેવુ દેખાઈ રહ્યું છે.
પોલીસ સામે 7 લોકોને ખોટી રીતે માર મારવાનો આરોપ
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ 7 લોકોને પકડીને ખોટી રીતે માર માર્યો હતો. પોલીસના વર્તન અને માર મારવા સામે અરજદારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં આરોપીની ધરપકડ કર્યા બાદ જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તે ન થઈ હોવાનું બહાર આવ્યું હતું. અને અરજદારો સાથે તે પ્રમાણે વર્તન પણ કરવામાં આવ્યું ન હતું જેની રજૂઆત હાઈકોર્ટથી માંડી ટેક્સટાઈલ એસોશિએશન તેમજ ભાજપના કાર્યકરોએ મળીને હર્ષ સંઘવી સુધી કરવામાં આવી હતી. જે બાદ આજે કાર્યવાહી થતાં PI કિકાણી સહિત 104 કર્મચારીઓની સામુહિક બદલી કરી નાખવામાં આવી છે.
હાઈકોર્ટે 4 દિવસ પહેલા જ ફટકાર્યો હતો દંડ
સમગ્ર મામલો કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેમાં HCએ પોલીસ કમિશનર અને પોલીસકર્મીઓનેને દંડ ફટકાર્યો હતો. સુરત શહેર પોલીસ કમિશનર સહિત 4 પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા 25 હજારનો દંડ ફટકારવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોતાનો જવાબ રજૂ ન કરવામાં આવતા પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યકત કરી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે દંડનો આકારો નિર્દેશ કર્યો હતો.