દેશમાં જાહેર કરાયેલા નોટબંધીના સમયગાળા દરમિયાન અનેક કૌભાંડ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાતના સુરત શહેરમાંથી નોટબંધી સમયનું સૌથી મોટું કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ અંગેનો ખુલાસો ભાજપના આગેવાન પી. વી. એસ શર્માના ટ્વવિટર દ્વારા થયો છે. શર્માએ PM મોદી અને નાણામંત્રીને ટેગ કરી આ ટ્વિટ કર્યું છે.
નોટબંધી સમયનું સૌથી મોટું કૌભાંડ
110 કરોડના સોનાની થઈ હતી ખરીદી
PM અને નામામંત્રી સુધી કરાઇ રજૂઆત
સુરતમાં નોટબંધી સમયે કલામંદિર જ્વેલર્સમાં કૌભાડનો મામલો સામે આવ્યો છે. ભાજપ નેતા પી. વી. એસ શર્માએ આ કૌભાંડમાં NCP નેતાના દિકરાની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો છે.
પીવીએસ શર્માએ આ કૌભાંડને લઇને અધિકારીઓ અને નેતાઓનું નામ ઉજાગર કરીશે. સમગ્ર કૌભાંડ મામલે ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે. કૌભાંડીઓને ખુલ્લા પાડવામાં આવશે.
Haha! In fact, the person who did this is the son of NCP politician. This 'black money' culture is congress gift to the country.
Don't make fun of your own ideological partner!😊 https://t.co/MekQdbhqRO
શર્માએ કહ્યું કે ટેકનિકલ કારણોસર કૌભાંડ અત્યારે જાહેર કરાયું છે. ટ્વિટર પર કૌભાંડ સાથે જોડાયેલા લોકોના નામ જાહેર કરીશ. સમય આવ્યે તમામ લોકોના નામ ઉજાગર કરીશે. પુરાવાને વેરિફાઇ કર્યા બાદ જનતા સમક્ષ મુકીશ. કલામંદિર જ્વેલર્સ દ્વારા 110 કરોડનું સોનું ખરીદવામાં આવ્યું હતું.
શું છે કલામંદિર જ્વેલર્સનો મામલો?
નોટબંધી સમયે સુરતમાં સૌથી મોટું કૌભાંડ થયું હતું
આ કૌભાંડમાં કલામંદિર જ્વેલર્સનું નામ ખુલ્યું છે
ભાજપ આગેવાન પી.વી.એસ શર્માએ ટ્વીટમાં ખુલાસો કર્યો છે
PM અને નાણામંત્રીને ટેગ કરીને શર્માએ ટ્વીટ કર્યું છે
નોટબંધી મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું હતું. પી.વી.એસ શર્માએ પીએમને રજૂઆત કરતા અર્જૂન મોઢવાડિયાએ પ્રહાર કરતા કહ્યું કે નોટબંધી ભાજપના નેતાઓ માટે કેવી રીતે વરદાન બની. કલામંદિર જ્વેલર્સ દ્વારા 110 કરોડના સોનાની ખરીદી કરાઇ. નોટબંધી સમેય બ્લેકમનીને વ્હાઇટ કરી નાંખવામાં આવી.