ગુજરાતમાં એક તરફ કોરોનો વાયરસનું સંક્રમણ સતત જોવા મળી રહ્યું છે. ત્યારે સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળતા તંત્ર સતર્ક બન્યું છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓના હોમ આઇસોલેશનના નિયમોને કડક બનાવાયાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસમાં જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.
સુરતમાં કોરોનાના કેસ વધતા તંત્ર બન્યું સતર્ક
હોમ આઇસોલેશનના નિયમો વધુ કડક બનાવાશે
એક રૂમ-રસોડામાં રહેતા લોકોને ફરજિયાત શિફ્ટ થવુ પડશે
સુરતમાં કોરોનાના કેસ વધતા તંત્ર સતર્ક થઇ ગયું છે. હોમ આઇસોલેશનના નિયમો વધુ કડક બનાવાશે. એક રૂમ-રસોડામાં રહેતા લોકોને ફરજિયાત શિફ્ટ થવુ પડશે.
કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટરમાં શિફ્ટ થવું પડશે. ઘરમાં સભ્યોની સંખ્યા વધુ હોય તેમને પણ આઇસોલેશન સેન્ટર શિફ્ટ કરાશે. સુરતમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.
આ સાથે જ હોમ આઇસોલેશનની ગાઈડલાઈન ભંગની અનેક ફરિયાદો મળી રહી છે. સંક્રમિત વ્યક્તિ બહાર ફરીને બીજાને સંક્રમિત કરતા હોવાની ફરિયાદ મળી રહી છે. હજુ સુધી કોઈ સત્તાવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી.