સુરતમાં મહિધરપુરા વિસ્તારની ઝાંપા બજાર ખાતે કપડાંની દુકાનમાં આજરોજ અચાનક આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. આગને પગલે ફાયર વિભાગની ચાર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહી છે. આગમાં કાપડની દુકાન બળીને ખાખ થઈ જતા વેપારીએ ભારે નુકશાન વેઠવું પડયું છે.
આ ઘટના અંગે મળતી વિગત પ્રમાણે આજરોજ બપોરના સમયે સુરતના આ ભીડભાડ વાળા વિસ્તારમાં આવેલ એક કપડાની દુકાનમાં નીચેના ભાગે કપડાંની દુકાન છે અને ઉપર રહેઠાણ હોવાથી આગ લાગવાનો બનાવ બનતા ઘરમાં રહેલા લોકોએ જીવ બચાવવા માટે દોડધામ મચાવી હતી જો કે આગ કપડાંમાં વધારે પ્રમાણમાં પ્રસરી જતા દુકાન બળીને ખાખ થઈ ગઇ હતી.
આ ઘટના અંગેની જાણકારી નજીકના ફાયર વિભાગે કરવામાં આવતા ફાયર વિભાગની પાંચ ગાડીઓએ ઘટનાસ્થળે તાત્કાલિક અસરથી પહોંચી હતી અને એક કલાકની મહેનતને અંતે આગ પર કાબુ મેળવી લીધો છે. જો કે કપડાંની દુકાન બળીને ખાક થઈ ગઇ છે. આગ લાગવાના કારણની હજુ સુધી ખબર પડી ન હતી.