આજે આપણે કહેવામાં તો 21મી સદીમાં પહોંચી ગયા છીએ પરંતુ જીવી રહ્યા છીએ આપણે 18માં સદીમાં...આવું એટલા માટે કહેવુ પડે છે કે વાતો આપણે 21મી સદીમાં ડિજિટલ ભારત અને આધુનિક વિજ્ઞાનની કરીએ છીેએ પરંતુ અંધશ્રદ્ધા તરફ પણ દિવસેને દિવસે ડગલું માંડી રહ્યા છીએ ..સુરતમાં જ આજે એક ઘટના સામે આવી જેમાં અંધશ્રદ્ધાએ એક યુવતીનો જીવ લઈ લીધો...અહીં ગુનેગાર સાસરીયાઓ છે..અહીં કેટલાક એવા લોકો છે કે જેમને ડોક્ટર પર ભરોસો નથી પરંતુ ભૂવા અને ધૂતારાઓ પર ભરોસો છે...અને આ જ અંધવિશ્વાસનો ફાયદો આવા ધૂતારાઓ ઉઠાવે છે અને અંતે વારો જીવ ગુમાવવાનો...ત્યારે અહીં સવાલ એ છે કે શું આવા ધૂતારાઓ સામે એકશન ન લેવામાં જોઈએ? શું અંધશ્રદ્ધાના નામે કોઈને ફાંસીના માચડે ચઢાવતા લોકોને દંડવા ન જોઈએ?આખરે ક્યારે આ અંધશ્રદ્ધાનો ડામ સમાજમાંથી દુર થશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન