ડાયાબિટીસના રોગથી છુટકારો મેળવવા માટે ભોજન પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં તમે કેટલીક વસ્તુઓનું સેવન કરીને શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો.
આજકાલ ડાયાબિટીસનો રોગ કોમન
ભોજન પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી
આ રીતે શુગર લેવલ રહેશે કંટ્રોલમાં
આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસની બીમારીનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં શુગર લેવલને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ ડાયાબિટીસના રોગમાંથી છુટકારો મેળવવાના બે જ રસ્તા છે. પહેલા તમે કસરત કરો અને બીજું તમારૂ ભોજન.
જી હા, જો તમે હેલ્ધી ડાયટ ફોલો કરો અને રોજ એક્સરસાઇઝ કરો તો તમે શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકો છો. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેનું સેવન કરીને તમે તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકો છો. ચાલો જાણીએ.
શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે આ વસ્તુઓ
ઓટ્સ
ઓટ્સને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે પેટ માટે પ્રીબાયોટિક તરીકે કામ કરે છે. બીજી તરફ જો તમે નાસ્તામાં ઓટ્સનું સેવન કરો છો તો તમારું પેટ દિવસભર ભરેલું રહે છે. એટલું જ નહીં તે તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમે નાસ્તામાં દરરોડ ઓટ્સનું સેવન કરી શકો છો.
ચણાનું સેવન
બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે ચણાનું સેવન કરવું જોઈએ. ચણામાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરમાં બ્લડ શુગરને ઘટાડવામાં મદદ કરે છે. તેથી, જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમારે ચણાનું સેવન કરવું જોઈએ.
તુલસીના બીજ
શુગરના દર્દીઓ માટે તુલસીના બીજનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે. તુલસીના બીજનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે. આ સાથે તે તમારા બ્લડ સુગરને નિયંત્રિત કરવાનું પણ કામ કરે છે.
સફરજન
દરેક વ્યક્તિએ સફરજનનું સેવન કરવું જોઈએ. બીજી તરફ ડાયાબિટીસના દર્દીઓ માટે સફરજન વરદાનથી ઓછું નથી. જી હા રોજ સફરજનનું સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. કારણ કે સફરજનમાં પૂરતી માત્રામાં ફાયબર હોય છે જે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે.