સુડાનમાં રોટીની વધતી કિંમતોને લઇને થઇ રહેલું પ્રદર્શન હિંસક બન્યું. એક મળતી જાણકારી મુજબ પ્રદર્શન કરી રહેલા લોકો અને સૂડાન કી દંગા-રોધી પોલીસ વચ્ચે થયેલી ઝડપમાં 19 લોકોના મોત નિપજ્યાં છે.
સરકારે જણાવ્યું કે મરનારમાં બે સુરક્ષકર્મીનો પણ સમાવેશ થાય છે. એક અહેવાલ મુજબ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં 19 લોકોના મોત થયા છે જ્યારે 219 લોકો ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે સૂડાનમાં ભૂખમરો એક મોટી સમસ્યા છે. મોટી સંખ્યામાં લોકોએ આ સરકારી નિર્ણયના વિરોધમાં જોડાયા છે. સૂડાનમાં રોટલીની કિંમતમાં વધારો કરાતાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.
જેમાં રોટલીની કિંમત 1 પૌંડથી વધારીને ત્રણ સૂડાની પૌંડ કરવાના સરકારી નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ અગાઉ ગુરૂવારના રોજ વિરોધ પ્રદર્શનકારીઓ સૂડાનની રાજધાની ખારતૂમ સુધી પહોંચી ગયા હતા. જ્યાં રાષ્ટ્રપતિ ભવન પાસે એકત્ર થયેલી ભીડ પર કાબૂ મેળવવા પોલીસે આંસૂ ગેસના ગોળા છોડ્યા.