ખેડૂતોને ખેતીમાં મોટી મદદ મળી રહે તે માટે સરકારે 100 કિસાન ડ્રોન લોન્ચ કર્યાં છે.
કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગની મળી મંજૂરી
કેન્દ્ર સરકારે 100 કિસાન ડ્રોન લોન્ચ કર્યાં
ડ્રોનની ખરીદી માટે ખેડૂતોને મળશે 5 લાખની સબસિડી
ડ્રોનના આગમનને કારણે ખેતી બની જશે ખૂબ સરળ
ખેતીમાં ખર્ચ ઓછો આવશે, ઉત્પાદન વધશે
દેશના ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા અને ખેતીને સરળ બનાવવા માટે મોદી સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. સંરક્ષણ અને મનોરંજન ક્ષેત્ર બાદ કૃષિ ક્ષેત્રમાં ડ્રોનની એન્ટ્રી થઈ છે. કેન્દ્ર સરકારે 100 કિસાન ડ્રોન લોન્ચ કરી દીધા છે. કિસાન ડ્રોન લોન્ચ કરવાનો ઉદ્દેશ ખેતી અને ખેતીવાડીને સરળ બનાવવાનો, ખેતી માટે જમીનનો સર્વે, પાકની સુરક્ષા અને તેની દેખરેખ, નિંદણ દૂર કરવાનો તથા જંતુનાશક દવાઓના છંટકાવ જેવા કામ કરવાનો છે.
ડ્રોનની ખરીદી માટે ખેડૂતોને મળશે 5 લાખની સબસિડી
ખેતી અને ખેતીમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે 50 ટકા સબસિડી એટલે કે ઓછામાં ઓછી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. ડ્રોન ટેકનોલોજીમાં ગ્રાન્ટની આ જોગવાઈ એસસી-એસટી, નાના-સીમાંત ખેડૂતો અને ઉત્તર-પૂર્વના રાજ્યના મહિલા ખેડૂતો અને ખેડૂતો માટે રાખવામાં આવી છે.
ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી પાક ઉત્પાદનનો ખર્ચ ઘટશે
ખેતીમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી પાક ઉત્પાદનનો ખર્ચ ઘટશે. સાથે જ તેનાથી ખેડૂતોને સ્વસ્થ ઉત્પાદન મેળવવામાં અને ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે. દેશના મોટા ખેડૂતો તેમજ નાના અને સીમાંત ખેડૂતો ડ્રોન ટેકનોલોજીનો લાભ લઈ શકે તે માટે ભારત સરકારે ડ્રોનની ખરીદી માટે ગ્રાન્ટની જોગવાઈ પણ કરી છે. ડ્રોનની ખરીદી માટે અન્ય વર્ગના ખેડૂતોને 40 ટકા એટલે કે 4 લાખ રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રકારની મદદ કરી રહ્યું છે. કેન્દ્રીય અને રાજ્ય સ્તરે પણ વર્કશોપ અને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્કશોપનો ઉદ્દેશ ખેડૂતોને ડ્રોન તકનીક વિશે જાગૃત કરવાનો અને તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જેથી ખેડૂતો માત્ર ખેતરો અને કોઠાર સુધી જ સીમિત ન રહે, પરંતુ ટેકનિક સાથે પણ જોડાયેલા રહે.
ખેતીમાં ડ્રોનના ઉપયોગથી શું લાભ મળશે
પાક ઉત્પાદનનો ખર્ચ ઘટશે
ખેડૂતો સારો પાક લઈ શકશે
ખેડૂતોની આવક બમણી થશે
ખેતી માટે જમીનનો સર્વે થઈ શકશે
પાકની સુરક્ષા અને તેની દેખરેખ થઈ શકશે
નિંદણ દૂર કરવા અને જંતુનાશક દવાઓના છંટકાવ જેવા કામ થઈ શકશે