મધ્યપ્રદેશના ખંડવામાં બીજેપીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ધનની દેવી લક્ષ્મીનો ફોટો રૂપિયાની નોટમાં છાપવાથી ભારતીય કરંસીમાં સુધારો આવી શકે છે. આ માટે કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી.
નોટ પર લક્ષ્મીનો ફોટો છાપવાથી નહીં થાય તકલીફઃ સ્વામી
અભિષેક મનુ સિંધવીએ ટ્વિટ કરીને સર્જયો વિવાદ
ઈન્ડોનેશિયાની નોટો પર ગણેશજીના ફોટો અંગે સ્વામીનું સમર્થન
ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ડોલરની સરખામણીએ રૂપિયાને ગગડતો જોઈને વિચિત્ર નિવેદન આપ્યું છે. તેઓએ ભારતીય કરન્સીની સ્થિતિને સુધારવાને માટે રૂપિયાની નોટમાં ધનની દેવી લક્ષ્મીનો ફોટો છાપવાની રજૂઆત કરી છે.
ઈન્ડોનેશિયાની કરંસી પર ભગવાન ગણેશનો ફોટો છાપવાના પ્રશ્ન પર સ્વામીએ કહ્યું આ પ્રશ્ન પર પીએમ મોદી જવાબ આપી શકે છે. જ્યાં સુધી મારી વાત છે હું તેના પક્ષમાં છું,ભગવાન ગણેશ અનેક બાધાઓ દૂર કરે છે. મારું માનવું છે કે ધનની દેવી લક્ષ્મીનો ફોટો રૂપિયાની નોટમાં છાપવાથી ભારતીય કરંસીમાં સુધારો આવી શકે છે. આ માટે કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી.
સ્વામીના નિવેદનને લઈને થયો વિવાદ
કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવીએ ટ્વિટ કરીને સુબ્રમણ્યમ સ્વામીને વળતો જવાબ આપ્યો છે. તેઓએ લખ્યું કે તમે જે વિચાર્યું હતું કે દેશના ઈકોનોમિસ્ટ અર્થવ્યવસ્થાને સુધારવા માટે કોઈ આઈડિયા આપે પણ તે નોટ બદલવાની વાત કરે છે. માતા લક્ષ્મી આ પ્રકારનું કામ કરીને અર્થવ્યવસ્થાને સુધારી શકશે તો નાણામંત્રી નિર્મલા સીતારમણ શું કામ કરશે?
You thought the premiere economist of the RW economy groups would have a better solution than changing the face of bank notes. Goddess Lakshmi would save the economy without being patronised in this manner but then what is the FM's job?#SubramanianSwamy