આંધ્ર પ્રદેશના પોલિસકર્મીઓએ લોકોને ખરાબ રસ્તાથી રાહત આપવા માટે આ કામ કર્યું છે.
આંધ્ર પ્રદેશ પોલીસે કરી બતાવ્યું
જાતે કરાવ્યું રસ્તાનું સમારકામ
લોકોએ પણ કરી મદદ
આંધ્ર પ્રદેશ પોલીસની લોકો પ્રસંશા કરતા નથી થાકી રહ્યા. પોલીસે લોકો માટે કંઈક એવું કર્યું છે કે લોકો તેમના લખાણ કરતા નથી થાકી રહ્યા. આંધ્ર પ્રદેશના વિજયવાડાના લોકો ખરાબ રસ્તાના કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. તેમને ઘણી વખત જવાબદાર અધિકારીને તેના વિશે ફરિયાદ પણ કરી હતી. પરંતુ કોઈ સુનાવણી ન થવાના કારણે પોલીસે લોકોની સમસ્યાનું સમાધાન કરવાનું નક્કી કર્યું.
જાતે બનાવ્યો રસ્તો
એક રિપોર્ટ અનુસાર વિજયવાડાના નજવીડના એક રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ચુકી હતી કે લોકોને ત્યાં આવવા જવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લોકોએ ઘણી વખત ફરીયાદ કરી હોવા છતા કોઈ પગલાં ન હતા લેવાતા. ત્યાર બાદ પોલીસે નિર્ણય કર્યો કે રસ્તાનું સમારકામ તે જાતે કરાવશે. તેમણે મળીને એક ગ્રાફ તૈયાર કર્યો અને કામ શરૂ કરી દીધુ.
આ રીતે કર્યું કામ
સ્થાનીક ક્ષેત્રના ડીએસપી શ્રીનિવાસુલૂ (DSP B Srinivasulu)એ જણાવ્યું કે સંબંધિત અધિકારીઓ અને તેમની ટીમે પોત પોતાના વિસ્તારમાં રસ્તા પરના ખાડા, દુર્ઘટના સંભાવિત ક્ષેત્રોની તપાસ કરી એક રીપોર્ટ બનાવ્યો, જેની એક કોપી કૃષ્ણ જિલ્લાના એસપી સિદ્ધાર્થ કૌશલને મોકલી આપી. પછી જાતે પૈસા ભેગા કરીને પોલિસકર્મીઓએ રસ્તો બનાવવાની જવાબદારી લીધી.
25થી વધારે જગ્યા પર ભર્યા ભુવા
જ્યારે લોકોએ જિલ્લા પોલીસને રસ્તાનું સમારકામ કરતા જોયા તો તે પોતે પણ મદદ માટે આગળ આવ્યા. ડીએસપી શ્રીનિવાસુલૂએ જણાવ્યું કે લોકોની મુશ્કેલીઓને સમજતા અમુક મજૂરો અને વોલેન્ટિરની મદદથી અમે રસ્તાને સારા બનાવવાનો નિર્ણય કર્યો છે. 25થી વધારે સ્થાનો પર ખાડા ભરવામાં આવ્યા. જેથી લોકોની યાત્રા સારી બને. પોલિસકર્મીઓનોનું આ રૂપ જોઈને સ્થાનીક રહેવાસીઓ ખૂબ ખુશ છે.