સુરતમાં શેરબજારના એક વેપારીએ કારની અંદર કાર્બન મોનોઑક્સાઇડ સિલિન્ડર લગાવીને કથિત રીતે આપઘાત કરી લીધો. સુસાઇડ પહેલા તેમણે કારના કાચ પર એક પેપર લગાવી દીધું હતું. જેમાં લખ્યું હતું કે, 'કારની અંદર કાર્બન મોનોઑક્સાઇડ ઝેર છે, દરવાજો ન ખોલો, પોલીસને કૉલ કરો.'
સુરતમાં યુવકે કારની અંદર કર્યો આપઘાત, મળી સુસાઇડ નોટ
કાર્બન મોનોઑક્સાઇડ સિલિન્ડર લગાવીને કર્યો આપઘાત
સંદિપભાઇ શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા હતા
સુરતના અલથાણ વિસ્તારમાં રોડ કિનારે ઉભેલી કારમાં સંદીપ નામના યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ સુસાઇડ નોટ વાંચીને લોકોએ પોલીસને ફોન કર્યો. ઘટના સ્થળે પહોંચી અને આ જોઇને ચોંકી ઉઠી, કારણ કે કાર અંદરથી બંધ હતી.
પોલીસે જોયું કે, કારની અંદર 2 સિલિન્ડર રાખેલા હતા અને એક વ્યક્તિ ઑક્સિજન માસ્ક લગાવીને કારની પાછળની સીટ પર પડ્યો હતો. પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેટને ઘટનાસ્થળે બોલાવી. ત્યારબાદ કારનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. કારમાં એક સુસાઇડ નોટ મળી આવી. જેમાં તે યુવકે લખ્યું હતું કે, મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી.
આ યુવકે સાથે પોતાના પરિવારજનોનો નંબર પણ લખ્યો હતો. પોલીસે તાત્કાલિક પરિવારજનોને ઘટનાસ્થળે બોલાવ્યા. ત્યારે પહોંચેલાી એમ્બ્યુલન્સમાં હાજર ડૉક્ટરે કારનો દરવાજો ખોલ્યા બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો.
કારની અંદર જ તેમનું મોત થયું હતુંઃ તપાસ અધિકારી
તપાસ અધિકારી એન.એ. દેસાઇનું કહેવું છે કે, તપાસ કરવા પર સામે આવ્યું કે, કારની અંદર જ તેમનું મોત થઇ ચૂક્યું છે. પોલીસે કારમાંથી નોટિસ બોર્ડ પેપર સિવાય, સુસાઇડ નોટ, પાંચ-પાંચ લીટરના એક હાઇડ્રોજન સિલિન્ડર અને એક કાર્બન મોનોઑક્સાઇડ સિલિન્ડર, રેગુલેટર અને ઑક્સિજન માસ્ક મળી આવ્યા છે.
ઘરેથી એક-બે દિવસ પહેલા નીકળ્યા હોવાની ચર્ચા
મળતી માહિતી અનુસાર, અલથાણ રોડ પર આશીર્વાદ એન્કલેવ મારે 37 વર્ષીય સંદીપ બજરંગ દાલમિયા ગુરુવારે સાંજે અલકાના સોહમ સર્કલ પાસે સોહમ રેસીડેન્સી તરફ જવાના i20 કારમાં મૃતદેહ મળી આવ્યો હતો. સંદીપભાઈને એક પુત્ર અને એક પુત્રી છે અને તેમના પિતા નિવૃત છે. જોકે તે જવાનું કહીને એક-બે દિવસ પહેલા ઘરેથી નીકળ્યા હોવાનું તેમના પરિચિતોમાં ચર્ચાઈ રહ્યું હતું.
જોકે મોતનું સાચુ કારણ હજુ જાણવા મળશે
નવી સિવિલ ખાતે સંદીપભાઈનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે જણાવ્યું હતું કે તેમનો શરીરનો રંગ ચેરી જેવો થઈ ગયો હતો. જોકે તેમના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા હતા. તેમના મોતનું સાચુ કારણ જાણવા મળશે. આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.