નર્મદા ડેમ પાસે સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય સ્ટેચ્યુનુ નિર્માણ થઈ રહ્યુ છે. 31 ડિસેમ્બર 2014થી ભવ્ય સ્ટેચ્યુનું કામ શરૂ થયુ છે. 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિ હોવાથી પીએમ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ થશે. હાલ સરદાર પટેલની ભવ્ય અને પૂરા કદની પ્રતિમાનું 60 ટકા જેટલું કામ પૂર્ણ થયુ છે.
સરદારની પ્રતિમા બન્યા બાદ રાજ્યમાં રોજગારીના પ્રમાણમાં વધારો થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 2 લિફ્ટ પણ મુકવામાં આવશે. આ લીફ્ટના આધારે પ્રવાસીઓ 135 મીટર સુધી ઉપર જઈ શકશે. આ પ્રોજેક્ટને 250 ઈજનેરો અને 3700 કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યુ છે. 25મી ઓક્ટોબર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ થશે.
ત્યાર બાદ પીએમ મોદી 31મીં ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટિનુ લોકાર્પણ કરશે. સ્ટેચ્યુને નિહાળવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે તે રીતે તૈયાર કરવામાં આવ્યુ છે. સાથેજ આહીંયા આદિવાસી અને ખેડૂતોનું મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે.