નર્મદાના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખૂદ આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતાઓ છે ત્યારે SOUમાં મુલાકાતીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નિર્ણય બદલાયો
28 ઓક્ટોબરથી 1 નવેમ્બર ચાલુ જ રહેશે SOU
દિવાળીના તહેવારોને લઇને કરાયો ફેરફાર
સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી 5 દિવસ બંધ રાખવાનો નિર્ણય બદલાયો. દિવાળીના તહેવારોને લઈને પ્રવાસીઓ માટે ખુલ્લુ જ રખાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી.
નર્મદાના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીના આયોજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાવાના હોઈ પ્રોટોકોલ અને સુરક્ષાના ભાગરૂપ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને 5 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની જાહેરાત SOUની સત્તાવાર વેબસાઈટ પર પણ મુકવામાં આવી હતી. જો કે, હવે તંત્રએ આ નિર્ણય બદલ્યો છે.
28 ઓક્ટોબરથી 1 નવેમ્બર ચાલુ જ રહેશે SOU
મળતી જાણકારી પ્રમાણે, પ્રધાનમંત્રી મોદીની વિશેષ ઉપસ્થિતિમાં થનારી એક્તા દિવસની ઉજવણીને ધ્યાને રાખીને 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી બંધ રહેનારું સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે સામાન્ય નાગરિકો માટે ખુલ્લું જ રહેશે. પ્રવાસીઓની માગ અને નજીક આવતા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને SOU સહિતના પ્રકલ્પો ચાલુ જ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
30 ઓક્ટોબરના કેવડિયા આવશે
જો કે PM મોદી સરદાર જયંતિની આગલી સાંજે જ ગુજરાત આવી જશે અને 30 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે રાત્રિ રોકણ કરશે. વડાપ્રાધનમોદી તે સાંજે જ નર્મદા આરતી ઘાટનું પણ લોકાર્પણ કરશે. તેમજ વહેલી સવારે સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિવિધા પ્રકલ્પો અને ખાતમૂહૂર્તના કાર્યક્રમો કરશે.
નર્મદા આરતી ઘાટનું કરશે લોકાર્પણ
આ દિવસે વડાપ્રધાન મોદી દેશની જનતાને સંબોધિત કરે તવું પણ મનાઈ રહ્યું છે, 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ પર સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ પણ યોજાશે જેને વડાપ્રધાન મોદી સલામી આપશે.