ત્રિપલ મર્ડર કેસને DCP હર્ષદ મહેતાનું નિવેદન, 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા અને ઇન્વેસ્ટીગેશન ટિમ બનવાવામાં આવી છે તેમજ એફએસએલની ટિમ ઘટના સ્થળે પહોંચી છે
સુરતના અમરોલી વિસ્તારમાં ટ્રિપલ મર્ડર
DCP હર્ષદ મહેતાની પત્રકાર પરિષદ
ઇન્વેસ્ટીગેશન ટિમ બનવાવામાં આવી છેઃ DCP
સુરતના અમરોલી વિસ્તારમાં નોકરી માટે ખૂની ખેલ ખેલાયો છે. વેદાંત ટેક્સો એમ્બ્રોડરીના કારખાનના માલિક સહિત ત્રણની હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ ધારાસભ્ય વિનોદ મોરડિયા મૃતકના પરિવારજનોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્રિપલ મર્ડરની ઘટનાને પગલે અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ સમગ્ર મામલે DCP હર્ષદ મહેતાનું નિવેદન સામે આવ્યું છે.
સુરતમાં ત્રિપલ મર્ડર કેસ મામલો
ત્રિપલ મર્ડર કેસને DCP હર્ષદ મહેતાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, 2 આરોપી મજૂરી કામ કરતા હતા અને 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે તેમણે કહ્યું કે, ઇન્વેસ્ટીગેશન ટિમ બનવાવામાં આવી છે અને એફએસએલની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. DCPએ જણાવ્યું કે, 1 આઠવાડિયામાં ચાર્જસીટ રજૂ કરવામાં આવશે અને 5 અધિકારીઓની ટિમ બનાવી સીટની રચના કરાઈ છે. ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમણે કહ્યું કે, છરી ઓનલાઇન મંગાવામાં આવી હતી.
ગુહમંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક
આ ઘટના બાદ ગુહમંત્રી હર્ષ સંઘવીએ ફેક્ટરી માલિક અને અન્ય બે વ્યક્તિઓની હત્યા અંગે સુરત પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી છે અને જરૂરી કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યાં છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં SITની રચના કરવામાં આવી છે. જેમાં 5 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે અમરોલીમાં આવેલી વેદાંત ટેક્સોમાં આજે 9થી સવા નવ વાગ્યાની આસપાસની આ ઘટના બની છે. એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતાં કારીગરો દસ દિવસ પહેલાં જ કામે લાગ્યા હતા. તેને નોકરીમાંથી કાઢી મૂકવાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે નાઇટશિપમાં કામ કરતા કારીગરે યોગ્ય કામગીરી ન કરતા તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને આજે વહેલી સવારે કારખાનામાં આવીને કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા કરી દેવામાં આવી છે.
गुजरात: फैक्ट्री मालिक और दो अन्य व्यक्तियों की हत्या को लेकर गृह मंत्री हर्ष सांघवी ने सूरत पुलिस अधिकारियों के साथ बैठक की। pic.twitter.com/8oMMRs2jhO
ઉધોગપતિ મથુર સવાણીની આગેવાનીમાં બેઠક
ઉધોગપતિ મથુર સવાણીની આગેવાનીમાં બેઠક મળી હતી. જેમાં આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે ગુહમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, સાત દિવસમાં આ ઘટનામાં ન્યાય મળે તેવી આશા છે તેમણે કહ્યું કે, હત્યારાઓને સજા થશે એવી બાહેંદરી આપવામાં આવી તેમણે કહ્યું કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી સરકારી વકીલથી લઇ તમામ વ્યવસ્થા ગોઠવાશે.