કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે સરકારે બીજા રાજ્યોમાં ફસાયેલા મજૂરો અને વિદ્યાર્થીઓેને ઘરે પાછા જવા માટે મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકારોની અપીલ પર વિશેષ શ્રમિક ટ્રેન ચલાવામાં આવી છે. આ ટ્રેનોમાં મુસાફરી માટે મજૂરો પાસેથી ટિકિટના પૈસા લેવાના મુદ્દા પર વિપક્ષે સરકારને ઘેરી છે.
કેન્દ્ર સરકારે બીજા રાજ્યોમાં ફસાયેલા મજૂરો અને વિદ્યાર્થીઓેને ઘરે પાછા જવા માટે મંજૂરી આપી
ટ્રેનોમાં મુસાફરી માટે મજૂરો પાસેથી ટિકિટના પૈસા લેવાના મુદ્દા પર વિપક્ષે સરકારને ઘેરી છે
ત્યારે હવે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે દાવો કર્યો છે કે મજૂરોના રેલ ભાડા રાજ્ય સરકાર ભરી રહી છે. તેઓએ કોંગ્રેસ પર આ મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરી કહ્યું 'મજૂરો પાસેથી રેલ ભાડાનું સત્ય-તમામ રાજ્ય સરકારો મજૂરોના રેલના ભાડાની ચૂકવણી કરી રહી છે. માત્ર મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાન સરકાર આપી રહી નથી. તેઓ ભાડુ મજૂરો પાસેથી લઇ રહી છે,' તેઓએ બીજા ટ્વિટમાં લખ્યું, બાકી રાજ્યો જાતે આપી રહી છે. આ ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાનની સરકાર મજૂરો પાસેથી ભાડુ લઇ રહી છે. આ રાજ્યોમાં સરકાર શિવસેના ગઢબંધન, કમ્યુનિસ્ટ અને કોંગ્રેસની છે. તે જ સવાલો ઉઠાવી રહી છે. 'ઉલ્ટા ચારો કોડવાલને દંડે'.
સોમવારે કોંગ્રેસના સોનિયા ગાંધીએ એલાન કર્યું હતું કે દેશભરમાં ફસાયેલા મજૂરોના ઘરે પાછા જવા માટે રેલ યાત્રાનો ખર્ચ કોંગ્રેસ પાર્ટી ઉઠાવશે. કોંગ્રેસે ટ્વિટ કરી લખ્યું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિર્ણય લીધો છે કે પ્રદેશ કોંગ્રેસ કમિટીના તમામ એકમ દરેક જરૂરિયાતમંદ શ્રમિક અને કારીગરોના ઘરે પાછા જવા માટે રેલ ટિકિટના ભાડાનો ખર્ચ ઉઠાવશે અને આ મામલે જરૂરી પગલા ઉઠાવશે.
દેશમાં કોરોના વાયરસથી ગત 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે મોત થયા છે. જ્યારે સૌથી વધારે નવા કેસ આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાનો આંકડો વધીને 46,000ને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 46,433 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાયરસથી કુલ 1568 લોકોના મોત થયા છે.