શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટ મામલે નવો ખુલાસો થયો છે. લંકા બ્લાસ્ટનું ગુજરાતમાંથી પકડયેલા ISI એજન્ટ સાથે કનેક્શન હોવાનું બહાર આવ્યું છે. આદિલ અને કાશીમ નામના ISI એજન્ટ ધરપકડ કરી હતી.
અમદાવાદ: શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટનું ગુજરાતમાંથી પકડાયેલા ISI એજન્ટ સાથે કનેક્શન નિકળ્યુ છે. શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટનો પ્લાન બે વર્ષ અગાઉથી ઘડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર એક વર્ષ પહેલા ગુજરાતમાંથી ઝડપાયેલા બે આતંકીનુ શ્રીલંકામાંથી કનેક્શન નિકળ્યુ છે. એક વર્ષ પહેલા ATSએ આદિલ અને કાશીમ નામના ISI એજન્ટની ધરપકડ કરી હતી. આ બન્ને આતંકીઓ વચ્ચે શ્રીલંકામાં બ્લાસ્ટના મેસેજની વાતચીત કરી રહ્યા હતા. બન્ને આતંકીઓ મળીને શ્રીલંકામાં બ્લાસ્ટનુ પ્લાનીંગ કરી રહ્યા હતા. આ બન્ને આરોપીઓ ISI સાથે સતત સંપર્કમાં હતા. જેની ATSએ શ્રીલંકા પોલીસને જાણ કરી હતી. ઓબૈદ સોશિયલ મીડિયામાં ઘણો સક્રિય હતો અને તે પોતાની નીચે કેડર તૈયાર કરી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ બંને વ્યક્તિએ મળીને વડાપ્રધાન મોદી પર હુમલો કરવાનો ગેમ પ્લાન બનાવ્યો હતો સાથે જ તેઓ અમદાવાદમાં ઇઝરાયેલી ધાર્મિક સ્થળ પર લોન વુલ્ફ એટેક કરવાનું કાવતરૂ ઘડી રહ્યાં હતા.
શ્રીલંકાના વડાપ્રધાને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતે ઇનપુટ આપ્યા હોવા છતાં આ હુમલો શ્રીલંકા હુમલો ન રોકી શકયું. આ હુમલાના તાર જમૈકાથી સીરિયા, સીરિયાથી ગુજરાત, અને ગુજરાથી શ્રીલંકા સુધી જોડાયેલા હતા. ગુજરાતમાંથી જે બે આતંકવાદી ઝડપાયા હતા તેમની આદિલ એક્સ સાથેની વાતચીત ગુજરાત એટીએસએ ટ્રેપ કરી અને તેની માહિતી એલઆઈએને આપી હતી.