ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રહેલ સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા બૉસ બનવા જઇ રહ્યા છીએ. 23 ઑક્ટોબરથી ગાંગુલીના નેતૃત્વમાં પ્રશાસકોની નવી ટીમ કમાન સંભાળશે. બોર્ડના અધ્યક્ષ બનવાથી દાદાને કરોડો રૂપિયાના નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
સૌરવ ગાંગુલીને સપ્ટેમ્બર 2020 બાદ કૂલિંગ ઑફ પીરિયડ પર જવું પડશે
ગાંગુલી છ વર્ષ સુધી જ બીસીસીઆઇથી જોડાયેલા કોઇ પણ પદ પર રહી શકશે
બીસીસીઆઇ અધ્યક્ષ તરીકે ગાંગુલીનો કાર્યકાળ 10 મહિનાનો હશે, કારણ કે એમને સપ્ટેમ્બર 2020 બાદ કૂલિંગ ઑફ પીરિયડ પર જવું પડશે. એનો મતલબ એ છે કે ગાંગુલી છ વર્ષ સુધી જ બીસીસીઆઇથી જોડાયેલા કોઇ પણ પદ પર રહી શકશે.
47 વર્ષીય ગાંગુલી હાલ કમેન્ટ્રી પણ કરે છે, ટીવી શો માં એક્સપર્ટસની ભૂમિકામાં જોવા મળે છે અને સૌથી મોટી ચીજ એ કે તે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમની સાથે મેન્ટ તરીકે જોડાયા હતા. બીસીસીઆઇ અધ્યક્ષ બનવાથી એને મોટી રકમનું નુકસાન થશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એમને સાત કરોડનું ભારે નુકસાન થઇ શકે છે. ગાંગુલીની કેપ્ટનસીમાં ટીમ ઇન્ડિયા 2003 વર્લ્ડકપમાં ઉપવિજેતા રહી હતી. એમને ખૂબ આક્રમક કેપ્ટન માનવામાં આવતા હતા.
ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળના હાલના અધ્યક્ષ ગાંગુલીને બીસીસીઆઇ પ્રમુખનું પદ સંભાળ્યા બાદ કૉમેન્ટ્રી છોડવી પડશે. સાથે એમને મીડિયા કૉન્ટ્રેક્ટ કરારને પણ એક તરફ રાખવો પડશે. બીસીસીઆઇના નિયમ અનુસાર કોઇ પણ વ્યક્તિ બોર્ડથી જોડાયેલબે પદો પર રહી શકે નહીં. એટલા માટે ગાંગુલીને અધ્યક્ષ તરીકે પોતાના તમામ કોમર્શિયલ કરારને ખતમ કરવા પડશે.
સૌરવ ગાંગુલી 10 મહિના સુધી બીસીસીઆઇના અધ્યક્ષ રહેશે. એ પાંચ વર્ષથી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. બોર્ડના નવા નિયમો અનુસાર કોઇ પણ સભ્ય સતત છ વર્ષ સુધી જ કોઇ પણ પદ પર રહી શકે છે. આ ઉપરાંત અમિત શાહના પુત્ર જય શાહને સચિવ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઇ અરુણ ધૂમલ કોષાધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે.
આવું પહેલી વખત જોવા મળ્યું છે જ્યારે બોર્ડના જૂના પ્રશાસક કોઇ ઉમેદવાર માટે સાથે આવ્યા. ગાંગુલીના નામાંકન બાદ કહ્યું કે મારી પહેલી પ્રાથમિકતા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને જોવાની રહેશે. મે પહેલા પણ પ્રશાસકોની સમિતીથી એના માટે આગ્રહ કર્યો હતો, પરંતુ ત્યારે મારી વાત સાંભળવામાં આવી નહતી.